ગુજરાત

gujarat

By

Published : Nov 12, 2019, 10:00 AM IST

ETV Bharat / bharat

રાજ્યસભા ચૂંટણી: જયશંકરે હાઈકોર્ટમાં કોંગ્રેસ નેતાની અરજી ફગાવવાની માગ કરી

અમદાવાદઃ વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કરી રાજ્યસભામાં પોતાના ચૂંટાવાનો બચાવ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, ચૂંટણી પંચે બંન્ને સીટો પર અલગ અલગ ચૂંટણી કરાવી. જેમાં કોઇ નિયમનો ભંગ થયો નથી.

jaishankar requested the court to dismiss the petition of the congress leader

ગુજરાત હાઈકોર્ટમાં દાખલ એક અરજીનો જવાબ આપતા વિદેશ પ્રધાન એસ જયશંકરે સોગંદનામુ રજૂ કર્યું હતું. જેમાં તેમને રાજ્યસભાની પેટા ચૂંટણીમાં પોતાની ચૂંટણીનો બચાવ કર્યો છે. જયશંકર સામે હારનાર ઉમેદવાર ગૌરવ પંડ્યાએ ચૂંટણી પંચના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા ગૌરવ પંડ્યા ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જયશંકર સામે ચૂંટણી હારી ગયા હતા.

કોંગ્રેસના બીજા ઉમેદવાર ચંન્દ્રિકા ચૂડાસમાએ પણ ભાજપ ઉમેદવાર જુગલજી ઠાકોર વિરૂધ્ધ પણ આવી જ અરજી કરી છે.

જસ્ટીસ બેલા ત્રિવેદીની કોર્ટમાં દાખલ સોગંદનામામાં જયશંકરે કહ્યું કે, પંડ્યાની અરજી રદ થવી જોઈએ, કારણ કે, પંડ્યાની અરજી રદ થવી જોઈએ.આ નથી જાણવી શક્યાં કે, ચૂંટણીમાં કાયદાનું ઉલ્લઘંન છે.

ABOUT THE AUTHOR

...view details