ગુજરાત

gujarat

જમ્મુ કાશ્મીર: ગ્રેનેડ હુમલામાં ચાર સુરક્ષા જવાનો ઇજાગ્રસ્ત

By

Published : Apr 30, 2020, 8:23 AM IST

Updated : Apr 30, 2020, 9:20 AM IST

શ્રીનગર શહેરના નૌહટ્ટા વિસ્તારમાં બુધવારે ચાર સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 3 શાશાસ્ત્ર સીમા બાલ (SSB) ના જવાન અને એક જમ્મુ-કાશ્મીર પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયા છે.

J&K
J&K

શ્રીનગર: શ્રીનગર શહેરના નૌહટ્ટા વિસ્તારમાં બુધવારે શંકાસ્પદ આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો હતો. જેમાં ત્રણ શાશાસ્ત્ર સીમા બાલ (SSB) ના જવાન અને એક જમ્મુ-કાશ્મીર પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયા હોવાની સત્તાવાર માહિતી મળી છે.

SSBના પ્રવક્તાએ ETV BHARATને જણાવ્યું કે, "રાત્રે 9:30 વાગ્યે, શહેરના નૌહટ્ટા ચોકમાં તૈનાત સુરક્ષા કર્મચારીઓ તરફ આતંકવાદીઓએ ગ્રેનેડ લટકાવી દીધા હતા. હુમલા દરમિયાન SSBના ત્રણ જવાન અને એક પોલીસને ઇજાઓ પહોંચી હતી."

તેમણે કહ્યું હતું કે, ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં ઘાયલ કર્મચારીઓની ઓળખ જે કેપી કોન્સ્ટેબલ અબ્દુલ મજીદ, SSBના સબ-ઇન્સ્પેક્ટર અનુરાગ રાવ, એસએસબી હેડ કોન્સ્ટેબલ સનંતા કુમાર અને એસએસબી કોન્સ્ટેબલ દુર્ગેશ કુમાર તરીકે થઈ છે.

આ કૃત્ય માટે જવાબદાર આતંકવાદીઓને પકડવા પોલીસ અને સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધા છે. જો કે, આ હુમલો કયા આતંકવાગદી સંગઠન દ્વારા થયો છે તે હજુ સુધી સામે આવ્યું નથી.

Last Updated : Apr 30, 2020, 9:20 AM IST

ABOUT THE AUTHOR

...view details