નવી દિલ્હી: ભારતમાં ઈન્ટરનેટ બંધ થયા બાદ આવેલા રિપોર્ટે મોટો વિવાદ ઉભો કર્યો છે. રિપોર્ટ પ્રમાણે જોઈએ તો, ઈન્ટરનેટ બંધ થયા બાદ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
જો કે, આ જગ્યાઓ પર કાયદાને યોગ્ય રીતે લાગુ કરવા માટે અમુક લોકોએ ઈન્ટરનેટ બંધને સમર્થન આપ્યું છે, તો અમુક લોકોએ અતાર્કિક ગણાવ્યું હતું. ટેલીકોમ કંપની અને વેપારીઓને ઈન્ટરનેટ બંધ થતાં ઘણુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સેલ્યુલર ઓપરેટર એસોસિએશન ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ ઈન્ટરનેટ બંધ થવાના કારણે ટેલીકોમ ઓપરેટરોને પ્રતિ કલાક દરેક વિસ્તારમાં લગભગ 2.45 કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.