અગાઉ, સંસદની સ્થાયી સમિતિએ દેશમાં તબીબી ક્ષેત્રનાં ધોરણોમાં વિવિધ છિદ્રો વિશે જ ધ્યાન નથી દોર્યું પરંતુ તેણે એમ પણ કહ્યું છે કે, દેશમાં તબીબી શિક્ષણમાં કોઈ ધોરણ નથી જેનાથી દેશની આરોગ્ય જરૂરિયાતો સંપૂર્ણ રીતે સંતોષાઈ શકે. લાખો મેડિકલ કર્મચારીઓ અને વિશેષજ્ઞોની સેવાઓ આ દુર્દશામાંથી બહાર આવવા જરૂરી છે. 15મા નાણા પંચે નિમેલી AIIMS (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ) નવી દિલ્હીના નિયામક ડો. રણદીપ ગુલેરિયાના નેતૃત્વવાળી છ સભ્યોની સમિતિની મહત્ત્વની ભલામણો આવનારાં પાંચ વર્ષના અંતરાલમાં દેશભરમાં તબીબી અને આરોગ્ય ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તનને લક્ષ્ય કરતી હોય તેમ જણાય છે.
સમિતિ જે 'આરોગ્ય'ને મૂળભૂત અધિકાર જાહેર કરવાની તરફેણમાં છે, તે 'આરોગ્ય કાળજી'ને રાજ્યની યાદીના બદલે સમવર્તી સૂચિમાં મૂકવા ઈચ્છે છે. રણદીપ સમિતિએ MBBS અભ્યાસક્રમનું પુનર્વલોકન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને સાથે એમ પણ સૂચવ્યું કે, વર્ષ 2025 સુધીમાં દેશમાં MBBS બેઠકોને સમકક્ષ આરોગ્ય કાળજીમાં અનુસ્નાતક અભ્યાસની સંખ્યા વધારાવી જોઈએ. વ્યાપક શ્રેણીના સુધારાના ભાગરૂપે, તેણે દરેક બીજા અને ત્રીજા વર્ગના શહેર અને નગરમાં ઓછામાં ઓછી 3 હજારથી 5 હજાર પથારીની એક ખાનગી હોસ્પિટલ સ્થાપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. MBBS સ્તરે વિશિષ્ટીકરણ (સ્પેશિયલાઇઝેશન) દાખલ કરવાની ભલામણને પ્રતિસાદ આપવાની જરૂરિયાત છે જેના દ્વારા આરોગ્ય કાળજીના ક્ષેત્રમાં જમીન સ્તરની સ્થિતિ સુધરશે. મેડિકલ કોલેજોની અછત છે તેવા પરિદૃશ્યમાં, ખાનગી અને સરકારી હોસ્પિટલો પી.જી. વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ માટે ઉપયોગમાં લે તે જરૂરી છે. સરકારે આ ભલામણો પર ખૂબ જ કાળજી સાથે નિર્ણય લેવાની જરૂર છે.
ભારત વિશ્વની કુલ વસતિના 17 ટકાનું ઘર છે. સત્તાવાર અંદાજ છે કે, 27 ટકા નવજાત શિશુનાં મૃત્યુ, 21 ટકા મૃત્યુ પાંચ વર્ષથી નીચેનાં બાળકોનાં અને 20 ટકા મૃત્યુ આંતરરાષ્ટ્રીય રોગના લીધે આ દેશમાં થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના (WHO) અંદાજ મુજબ, દર 1 હજાર લોકોના વિસ્તારમાં ઓછામાં ઓછો એક તબીબી અધિકારી/ડોક્ટર હોવો જોઈએ. જોકે એવું વિશ્લેષણ કરાય છે કે, આ ધોરણને પહોંચી વળવા ભારતે આજથી ઓછામાં ઓછા એક દાયકા સુધી રાહ જોવી પડશે અને આ વિશ્લેષણ પોતે જ કહે છે કે, દેશમાં દાખલ કરાઈ રહેલી આરોગ્ય યોજનાઓ કેમ સંતોષજનક નથી. સુધારાના પગલા તરીકે MBBS બેઠકોને સમાંતર અનુસ્નાતક (પીજી) બેઠકો દાખલ કરવાની દરખાસ્ત કરાઈ રહી છે. જોકે આ પગલું લેવાનો સરકાર પર ખર્ચ માત્ર ખર્ચ પરિબળ પર આધારિત છે.
હાલમાં દેશમાં MBBS બેઠકોની સંખ્યા 80 હજાર છે. બીજી બેઠકો આ સંખ્યાના એક તૃત્તીયાંશ જેટલી છે. કેન્દ્રએ પાંચ મહિના પહેલાં જાહેર કર્યું હતું કે, શૈક્ષણિક વર્ષ 2021-22 સુધીમાં 75 નવી સરકારી તબીબી કોલેજોમાં 15 હજાર 700 MBBS બેઠકો પ્રાપ્ય બનાવાશે. જો ક્યાંય પણ સરકારી મેડિકલ કોલેજોમાં MBBS અને PG બેઠકો વધુ મંજૂર કરાશે તો રાજ્યોએ આંતરમાળખા વિકાસ માટેના ખર્ચમાં 40 ટકા વધારો કરવો પડે. આ ગણતરી પ્રમાણે, જો અગાઉ અને વર્તમાન MBBS બેઠકો જેટલી જ PG બેઠકો દાખલ કરવામાં આવે તો રાજ્ય સરકારોએ આંતરમાળખા અને અન્ય વિકાસ માટે જંગી ખર્ચ વહોરવો પડે, જેથી PG અને MBBS એ બંને બેઠકોને સમાન રીતે સમાવવાનું સંભવ બને.