ગુજરાત

gujarat

આનંદ વિહારમાં વૃક્ષો કાપવાની અરજી એનજીટીમાં દાખલ કરવા હાઇકોર્ટનો નિર્દેશ

By

Published : May 14, 2020, 8:50 PM IST

દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં કેન્ટિન બિલ્ડિંગ બનાવવા માટેના વૃક્ષો કાપવાની રોકવાની અરજી પર સુનાવણી કરતા અરજદારને એનજીટીમાં અરજી દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો.

પમ
પમ

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં કેન્ટિન બિલ્ડિંગ બનાવવા માટેના વૃક્ષો કાપવાની રોકવાની અરજી પર સુનાવણી કરતા અરજદારને એનજીટીમાં અરજી દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ પ્રતિભાસિંહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા પછી આ આદેશ આપ્યો છે.

કેન્ટીન બનાવવા માટે વૃક્ષો કાપવાની યોજના

આ અરજી નેશનલ હોકર ફેડરેશન દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજદાર વતી વકીલ કમલેશકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, આનંદ વિહાર વિસ્તારમાં કેન્ટિન બિલ્ડિંગ બનાવવા માટે મોટા પાયે વૃક્ષો કાપવાની યોજના છે. હૉકર્સ તે વિસ્તારમાં પોતાનો ધંધો કરે છે. જો ઝાડ કાપવામાં આવે તો તેમની પર્યાવરણ તેમજ તેની આજીવિકા પર અસર પડે છે.

એનજીટીમાં જવા માટે જણાવ્યું

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી એડવોકેટ આશિષ જૈને કહ્યું કે, આ અરજીની સુનાવણી યોગ્ય નથી અને ફક્ત એનજીટી જ તેના પર વિચાર કરી શકે છે. ત્યારબાદ કોર્ટે અરજદારને કહ્યું કે, તમે એનજીટી પાસે જાઓ. આ સંબંધિત એક પિટિશન પહેલાથી પેન્ડિંગ છે.

પુનર્વસન માટે દિલ્હી સરકાર સમક્ષ વાત રાખે

કોર્ટે કહ્યું કે, જ્યાં સુધી હોકર્સના પુનર્વસનની વાત છે, ત્યાં સુધી તેમણે તેમની વાત દિલ્હી સરકાર સમક્ષ મૂકવી જોઈએ. કોર્ટે દિલ્હી સરકારને રાષ્ટ્રીય હોકર્સ ફેડરેશન માટે નિરાકરણ માટે આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે જો મંજૂરી વગર વૃક્ષો અને ઝાડ કાપીને કાઢી નાખવામાં આવે તો વહીવટીતંત્રે કાયદા અનુસાર કાર્યવાહી કરવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details