ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો INS જલાશ્વામાં જોડાયા, વિદેશમાં ફસાયેલા ભારતીયો પરત ફરશે - ભારતીય નૌકાદળ

હિંદ મહાસાગર ક્ષેત્રમાં તૈનાત ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો INS જલાશ્વામાં જોડાયા હતા. નૌકાદળના ઓપરેશન સમુદ્ર સેતુમાં ભાગ લેતા COVID-19ની મહામારીના કારણે વિદેશમાં અટવાયેલા ભારતીયોને પરત લાવવામાં આવ્યાં હતા.

Indian Ocean
Indian Ocean

By

Published : May 10, 2020, 9:49 AM IST

નવી દિલ્હી: હિંદ મહાસાગર ક્ષેત્રમાં તૈનાત ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો INS જલાશ્વામાં જોડાયા છે. જે શનિવારે માલદીવથી પાછા આવી રહ્યા છે. નૌકાદળના અધિકારીઓએ કહ્યું કે, INS જલાશ્વા મિશન દ્વારા વિશ્વના કોઈપણ જગ્યાએ તેના ડાયસ્પોરાની સુરક્ષાની ભારતની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરવામાં આવી છે.

શુક્રવારે ઓપરેશન સમુદ્ર સેતુની શરૂઆત આઈએનએસ INS સાથે કરવામાં આવી હતી. જેમાં માલદિવના બંદર પર 698 ફસાયેલા ભારતીય નાગરિકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કેરળના કોચી સુધીના પ્રવાસ દરમિયાન, પશ્ચિમી ફ્લીટના યુદ્ધ જહાજો રાષ્ટ્રીય પ્રયત્નો દ્વારા ભારતીય નૌકાદળની પ્રતિબદ્ધતાના પ્રદર્શનમાં તેમની સાથે જોડાયા હતા.

ભારતીય નૌકાદળના એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, "કોવિડ19ની વૈશ્વિક મહામારી વચ્ચે, ભારતીય નૌકાદળના જહાજો સમુદ્ર પારના ભારતીય નાગરિકોને પરત લાવવા માટે રાષ્ટ્રીય પ્રયત્નોને સમર્થન આપવા માટે તૈનાત કરવામાં આવ્યા છે."

ABOUT THE AUTHOR

...view details