શ્રીનગર (જમ્મુ-કાશ્મીર): પાકિસ્તાના કાશ્મીરમાં આતંકવાદીઓને ઘુસણખોરી કરાવવામાંથી ઊંચું નથી આવી રહ્યું. જોકે ભારતીય સેના પાકિસ્તાનના દરેક નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવી રહી છે. સૈનિકોએ કિશન ગંગા નદીના કિનારે અવરજવરની તપાસ કરી હતી. કાશ્મીરના કેરન સેક્ટરમાં સીમાથી હથિયાર સાથે આવતા પાકિસ્તાની આતંકવાદીઓની ચાલ ભારતીય સેનાએ નિષ્ફળ કરી દીધી છે. ભારતીય સેનાએ ચાર એકે 74 રાઈફલ, 8 મેગેઝિન, 240 એકે રાઈફલ કબજે કરી લીધી છે.
તમને જણાવી દઈએ કે, સૈનિકોએ કિશન ગંગા નદીના કિનારે થતી હલનચલનની તપાસ કરાવી હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસની સાથે સંયુક્ત અભિયાન પણ શરૂ કર્યું હતું. નદીથી દૂર કિનારે દોરડાથી બંધાયેલી ટ્યૂબમાં કેટલીક વસ્તુઓ લઈ જવાનો પ્રયત્ન કરી રહેલા 2-3 આતંકવાદીઓની માહિતી મેળવી હતી. ભારતીય સેનાના સૈનિકોએ ત્યાં જઈને તમામ હથિયાર જપ્ત કરી લીધા હતા.