જિનેવાઃ ભારત સહિત દસ રાષ્ટ્રોને 3 વર્ષના સમય માટે વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના કાર્યકારી બોર્ડ અધ્યક્ષ મંગળવારે પસંદ કર્યા છે. વિશ્વ સ્વાસ્થય સભા, WHOના નિર્ણય લેનારી સંસ્થાએ પોતાના 73માં સમ્મેલન દરમિયાન બોત્સવાના, કોલંબિયા, ધાના, ગિની-બિસાઉ, મેડાગાસ્કર, મેડાગાસ્કર, ઓમાન, રુસ, કોરિયા ગણરાજ્ય અને યૂનાઇટેડ કિંગડમની સાથે ભારતને પણ પસંદ કરવામાં આવ્યો છે.
WHO દ્વારા કોરોના વાઇરસ સંકટની પ્રતિક્રિયાની તપાસના આહ્વાન બાદ ભારતને નામિત કરવામાં આવ્યો હતો. વિશ્વ સ્વાસ્થય સંગઠને સોમવારે પોતાના અધિકાંશ સભ્યોને એક સ્વતંત્ર તપાસ શરુ કરવાની વાત કરી હતી. કોરોના વાઇરસની આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાને કઇ રીતે પ્રબંધિત કરે છે, જેના પર અમેરિકાએ ચીન પર આ મહામારીને લઇને પ્રહાર કર્યા હતા. જેથી 3 લાખથી વધુ લોકો માર્યા ગયા છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પણ પડી ભાંગી છે.