તેમણે કહ્યું, આ વિવાદને કારણે ભારતીય ઉપ-મહાદ્વીપને 70 વર્ષથી બંધક બનાવેલો છે. કાશ્મીરમાં આવનારી અને ગત પીઢીઓ પણ આ મુદ્દાથી પ્રભાવિત થઈ છે, તેમનું દરરોજનું જીવન પ્રભાવિત થઈ રહ્યું છે, તેમને પણ આ સમસ્યાનો નિકાલ જોઈએ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ટ્રંપે અમેરિકા પ્રવાસ પર આવેલા ઈમરાન ખાન સાથે સોમવારે એક સંવાદદાતા સંમેલનમાં જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન મોદીએ કાશ્મીર મુદ્દે તેમને મદદ કરવા જણાવ્યું છે. ત્યારે ટ્રંપે કહ્યું હતું કે, જો હું આ મુદ્દા પર મદદ કરી શકું તો જરૂરથી કરીશ. ટ્રંપે તો આમંત્રણ મળશે તો પાકિસ્તાન જવાની પણ વાત કહી હતી.