- સોલાર એનર્જી પાર્કની જમીનને અદાણી ગૃપને આપવા પર કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 15મી ડિસેમ્બરની કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આ તેમની વડાપ્રધાન તરીકેની ચોથી મુલાકાત છે. જયારે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે તેમણે કચ્છની 80થી વધુ મુલાકાત લીધેલી છે. કચ્છની આ મુલાકાતના પગલે તૈયારીઓ અને આયોજનનો ધમધમાટ ચાલી રહ્યો છે. દેશની સૌથી મોટા સોલાર એનર્જી પાર્કની જમીનને અદાણી ગૃપને આપવા મુદ્દે પર કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ યોજશે.
સોલાર એનર્જી પાર્કની જમીનને અદાણી ગૃપને આપવા પર કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી પરીક્ષાનો પ્રારંભ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી પરીક્ષાનો પ્રારંભ થશે. કોરોના કાળમાં લેવાનાર આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને જનરલ ઓપશન આપવામાં આવેલ છે. યુનિવર્સિટી સઁલગ્ન કોલેજોના 82 પરીક્ષા કેન્દ્રો પરથી આ કસોટી લેવામાં આવનાર છે.આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટેની તમામ તૈયારીઓ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી પરીક્ષાનો પ્રારંભ - આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 1 વાગ્યે દિલ્હીમા સંસદ ભવનની નવી બિલ્ડિંગનું ભૂમિ પૂજન કરશે. બ્રિટિશકાળમાં બનેલા વર્તમાન સંસદ ભવન પાસે નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરશે - ખેડૂત આંદોલનનો આજે 15મો દિવસ
કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોએ વિરોધ યથાવત રાખ્યો છે. કૃષિ કાયદા પર કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે લડાઈ વધી રહ્યો છે. ખેડૂત નેતાઓએ કહ્યું કે, કૃષિ કાયદાને રદ્દ થવા સુધી આંદોલન ચાલું રહેશે
ખેડૂત આંદોલનનો આજે 15મો દિવસ - પૂર્વ પ્રધાન એમજે અકબરની અરજી પર આજે સુનાવણી
પત્રકાર પ્રિયા રમાની વિરુદ્ધ પૂર્વ પ્રધાન એમજે અકબર દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાની મામલે આજે દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટ સુનવણી કરી શકે છે.
પૂર્વ પ્રધાન એમજે અકબરની અરજી પર આજે સુનાવણી - જેપી નડ્ડા આજે દક્ષિણ 24 પરગનામાં આજે કાર્યક્રમ
બંગાળના દક્ષિણ 24 પરગનાના ડાયમંડ હાર્બરમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો આજનો કાર્યક્રમ
જેપી નડ્ડા આજે દક્ષિણ 24 પરગનામાં આજે કાર્યક્રમ - આજે આંતરરાષ્ટ્રીય માનવધિકાર દિવસ
દર વર્ષ 10 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય માનવધિકાર દિવસ મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ સંયુક્ત રાષ્ટ્રે 1950માં 10 ડિસેમ્બરના દિવસે માનવધિકાર દિવસ જાહેર કર્યો હતો. જેનો ઉદ્દેશ વિશ્વભરમાં લોકોનું ધ્યાન માનવધિકાર તરફ આકર્ષિત કરવાનો છે.
આજે આંતરરાષ્ટ્રીય માનવધિકાર દિવસ - જમ્મુ-કાશ્મીરમાં ડીડીસી ચૂંટણી માટે આજે 5માં તબક્કાનું મતદાન
જમ્મુ-કાશ્મીરમાં ડીડીસી ચૂંટણી માટે આજે 5મા તબક્કાનું મતદાન થશે. જિલ્લા વિકાસ પરિષદની 37 બેઠકો પર મતદાન થશે.અહીં 8 તબક્કામાં ચૂંટણી થવાની છે, જે 28 નવેમ્બરથી 19 ડિસેમ્બર સુધી ચાલશે.
જમ્મુ-કાશ્મીરમાં ડીડીસી ચૂંટણી માટે આજે 5મા તબક્કાનું મતદાન - તેલંગણાની કેસીઆર સરકાર 2460 ડબલ બેડરૂમોનું ઉદ્ઘાટન કરશે
તેલંગણાની કેસીઆર સરકાર ગરીબોને ધરનું સપનું પુર્ણ કરવા જઈ રહી છે. પ્રથમ તબક્કામાં 144 પરિવારોને આજે ડબલ બેડરુમ ઘર સોંપશે. જેમાં તે તમામ સુવિધા હશે જે ધરમાં હોવી જોઈએ. જેને લઈ લાભાર્થીઓમાં ખુશીનો માહોલ છે.મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવ (કેસીઆર) ગુરુવારે ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર સિદ્ધીપેટના નરસાપુર વિસ્તારમાં 2460 ડબલ બેડરૂમોનું ઉદ્ઘાટન કરશે. આ ઘરોમાં પ્લમ્બિંગ દ્વારા ગેસ. પીવાના પાણી અને વીજળીની તમામ સુવિધા હશે.
તેલંગણાની કેસીઆર સરકાર 2460 ડબલ બેડરૂમોનું ઉદ્ઘાટન કરશે - કેન્દ્રીય શિક્ષણ પ્રધાન આજે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંક બોર્ડની પરીક્ષા સહિત વિવિધ બોર્ડ પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન આજે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે