ગુજરાત

gujarat

ETV Bharat / bharat

15 જૂને યોજાશે નીતિ આયોગની મહત્વની બેઠક, વડાપ્રધાન મોદી કરશે આગેવાની

ન્યુઝ ડેસ્ક/નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનમાં આવતીકાલે નીતિ આયોગની મહત્વની બેઠક યોજાનાર છે. જેની અધ્યક્ષતા વડાપ્રધાન મોદી કરશે. જાણો વડાપ્રધાન મોદીની આગેવાનીમાં યોજાનાર બેઠકમાં કયા-કયા મુદ્દે થઈ શકે છે ચર્ચા...

By

Published : Jun 14, 2019, 5:48 PM IST

hd

આવતીકાલે નીતિ આયોગની પાંચમી ગવર્નિગ કાઉન્સિલ બેઠક યોજાનાર છે. જેની અધ્યક્ષતા વડાપ્રધાન મોદી કરશે. આ બેઠકનું આયોજન રાષ્ટ્રપતિ ભવનમાં કરવામાં આવશે. ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં વિચાર-વિસ્તારની જરૂરિયાત અંગે ચર્ચા માટે આ બેઠક યોજાનાર છે.

આવતીકાલની બેઠકમાં ખેતીમાં માળખાકીય સુધારા, દુકાળગ્રસ્ત માટે જરૂરી ઉપાયો અને ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા સંબંધિત મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવનાર છે.

ABOUT THE AUTHOR

...view details