ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ કરવાની કેન્દ્રની યોજનાથી અમુક રાજ્યોની વધી મુશ્કેલી - મહારાષ્ટ્ર ગૃહ પ્રધાન અનિલ દેશમુખ

કોરોના વાઇરસ લોકડાઉનની વચ્ચે સોમવારથી ઘરેલૂ વિમાન સેવાઓ શરુ કરવાની તૈયારી છે, પરંતુ અત્યાર સુધી તેનાથી જોડાયેલા નિયમોને લઇને રાજ્યોમાં ભ્રમની સ્થિતિ બનેલી છે.

Etv Bharat, Gujarati News, Ill-advised to reopen airports in red zone
Ill-advised to reopen airports in red zone

By

Published : May 24, 2020, 3:11 PM IST

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના લોકડાઉનની વચ્ચે જ્યાં સોમવારથી ઘરેલૂ વિમાન ઉડાન માટે તૈયાર છે, ત્યારે તેની સાથે જોડાયેલા નિયમોને લઇને રાજ્યોમાં ભ્રમની સ્થિતિ બનેલી છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તમિલનાડૂએ પ્રવાસી ઉડાન ફરીથી શરુ કરવા કેન્દ્ર સરકારની યોજનાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. આ રાજ્યોમાં દેશના સૌથી વ્યવસ્ત એરપોર્ટમાં શુમાર એરપોર્ટ આવે છે. મહારાષ્ટ્ર સરકારે શનિવારે તેને લઇને ચિંતા વ્યક્ત કરતા પોતાની બાજૂ સ્પષ્ટ કરી હતી.

મહારાષ્ટ્ર સરકારે શનિવારે કહ્યું કે, રાજ્ય સરકારે 19મેએ પોતાના લોકડાઉન સંબંધી આદેશમાં સંશોધન કર્યું નથી. આ આદેશમાં માત્ર વિશેષ ઉડાનને અનુમતિ આપવામાં આવી છે. તે આ વાતની સ્પષ્ટતાનો સંકેત છે કે, મહારાષ્ટ્ર વધુ લોકોને રાજ્યમાં આવવાને લઇને ઉત્સુક નથી. મહારાષ્ટ્ર કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે.

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે ટ્વીટ કરીને કહ્યું કે, રેડ ઝોનમાં એરપોર્ટ ખોલવાની સલાહ ખૂબ જ નાસમજણ ભરી છે. માત્ર પ્રવાસીઓની થર્મલ તપાસ કરવી અને તેના નમુના નહીં લેવા અપર્યાપ્ત હશે. હાલની પરિસ્થિતિમાં ઓટો, કેબ, બસ ચલાવવી પણ અસંભવ છે. સંક્રમિતોને આવવાથી રેડ ઝોન પર દબાણ વધશે.

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસ સંક્રમણ અત્યાર સુધીમાં કુલ 47,190 કેસ સામે આવ્યા છે અને જેમાંથી 28,817 કેસ મુંબઇમાં જ છે. મહાનગરમાં સંક્રમણથી અત્યાર સુધીમાં 494 લોકોના મોત થયા છે.

તમિલનાડૂએ આ રીતની ચિંતા વ્યક્ત કરતા નાગર વિમાનન મંત્રાલયથી યોજનાને 31 મે સુધી ટાળવાનો આગ્રહ કર્યો હતો. કોરોના સંક્રમણના કેસ માટે તમિલનાડૂ બીજો સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે.

આ ઉપરાંત પશ્ચિમ બંગાળ સરકારે ચક્રવાત અમ્ફાનથી વધુ તબાહીનો હવાલો આપતા કહ્યું કે, કોલકાતાની ઉડાનો પર ઓછામાં ઓછી 30મે સુધી રોક લગાવવાનો આગ્રહ કર્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બનેર્જીએ કહ્યું કે, તે 30 મે સુધી ઉડાનોને બાગડોમરા એરપોર્ટ પર મોકલવા માટે કેન્દ્રને પત્ર લખશે.

ABOUT THE AUTHOR

...view details