ગુજરાત

gujarat

IIT હૈદરાબાદમાં વિદ્યાર્થીની આત્મહત્યા, સ્યુસાઇડ નોટમાં જણાવ્યું કારણ

By

Published : Jul 3, 2019, 10:44 AM IST

હૈદરાબાદ: તેલંગાણાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં હૈદરાબાદના એક વિદ્યાર્થીએ પંખા પર લટકીને આત્મહત્યા કરી હતી. આ વર્ષે અહીં બીજા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે.

telangana

સંગરેડ્ડીના પોલીસ અધિક્ષક પી શ્રીધર રેડ્ડીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી માર્ક એન્ડ્રુ ચાર્લ્સ (20 વર્ષ) સોમવારે રાત્રે 11 વાગ્યે તેના રૂમમાં ગયો હતો અને મંગળવારે બપોરે તેના મિત્રએ તેને જોયો ન હોવાથી તેના મિત્રોએ તેના રૂમનો દરવાજો તોડી નાખ્યો હતો, અને તે સમયે તે પંખા પર લટકીને મોતને ભેટી ચૂક્યો હતો.

વધુ માહિતી મુજબ તે, ડિઝાઇનમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો હતો. થોડા દિવસ પહેલા જ તેણે ફાઇનલ યરની પરીક્ષા આપી હતી અને તે પોતાના પ્રેસન્ટેશનની તૈયારી કરી રહ્યો હતો. આ વિદ્યાર્થી ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના નારિયા લંકા ક્ષેત્રનો રહેવાસી હતો.

પોલીસને તેની ડાયરીમાં એક સુસાઇડ નોટ મળી હતા જેમાં તેણે લખ્યુ હતું કે, જો મને પરીક્ષામાં સારા ગુણ નહી મળે તો મારું આગળ કોઇ ભવિષ્ય નથી. પોલીસનું જણાવવું છે કે હોઇ શકે આ માટે જ તેણે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હોય.

ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીએ કોલેજમાં આત્મહત્યા કરી હોવાથી પોલીસે આ બાબતે કેસ દાખલ કરી આગળ કાર્યવાહી હાથ ઘરી છે. આ પહેલા પણ 31 જાન્યુઆરીના દિવસે મિકેનિકલ અને એરોસ્પેસ ઇંન્જિયરીંગના એક વિદ્યાર્થીએ પણ કોલેજ ભવનના ધાબા પરથી કુદીને આત્મહત્યા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details