ગુજરાત

gujarat

By

Published : Aug 10, 2020, 3:01 AM IST

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરઃ ઉધમપુરમાં વાયુસેનાના જવાને કરી આત્મહત્યા

ભારતીય વાયુસેનાના એક જવાને પોતાની સર્વિસ રાઈફલથી ગોલી મારીને આત્મહત્યા કરી છે. જો કે, આત્મહત્યા કરવા પાછળનું કારણ હજૂ જાણવા મળ્યું નથી.

ETV BHARAT
ઉધમપુરમાં વાયુસેનાના જવાને કરી આત્મહત્યા

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં ભારતીય વાયુસેનાના એક જવાને પોતાની સર્વિસ રાઈફલથી આત્મહત્યા કરી છે.

પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, 22 વર્ષીય શુભમસિંહ પરમાર ઉધમપુરના વાયુસેના સ્ટેશનમાં સંતરીના રૂપે ફરજ બજાવતા હતા. તેમણે ખૂદને ગોળી મારી આત્મહત્યા કરી છે.

અધિકારીએ જણાવ્યું કે, આત્મહત્યા કરવા પાછળનું કારણ હજૂ જાણવા મળ્યું નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે, ઉધમપુર જિલ્લાની હોસ્પિટલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટ બાદ પરિવારને અંતિમવિધિ માટે મૃતદેહ સોંપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details