'ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું' તેવો પ્રશ્ન 9માં ધોરણની પરિક્ષામાં પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્ન પેપર સુફલામ શાળા વિકાસ સંકુલમાં પૂછવામાં આવ્યો હતો તેવું હાલ જાણવા મળી રહ્યું છે. સુફલામ શાળા વિકાસ સંકુલ એક ખાનગી શાળા છે અને ગાંધીનગરમાં ગ્રાન્ટ મેળવીને ચાલી રહી છે.
આ ઉપરાંત, વર્ગ 12ના વિદ્યાર્થીઓના પરીક્ષાનું પેપરમાં બીજો પ્રશ્ન એવો હતો કે, "જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને તમારા વિસ્તારમાં દારૂના વેચાણમાં વધારો અને બુટલેગરો દ્વારા ઉદ્ભવેલા ઉપદ્રવ અંગે ફરિયાદ કરવામાં આવી હતી."