ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્યપ્રદેશની આ સીટ પર હંમેશા સિંધિયા રાજઘરાનાનું રાજ રહ્યું છે

ન્યૂઝ ડેસ્ક: સમગ્ર દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામેલો છે ત્યારે હવે આ ચૂંટણી માટે ફક્ત એક તબક્કાનું મતદાન બાકી રહ્યું છે જ્યાં 19 મેના રોજ મતદાન થવાનું છે. કુલ સાત તબક્કાના મતદાનમાં છ તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે હવે 59 સીટ પર સાતમાં તબક્કામાં મતદાન થશે. ત્યારે આવો જાણીએ કોંગ્રેસના હાજર જવાબી નેતાએ મધ્યપ્રદેશના સ્ટાર કોંગ્રેસી નેતા કે, જેઓ મધ્યપ્રેદશની ગુના સીટ પરથી લડતા આવે છે...આવો જાણીએ આ સીટ પરનો ઈતિહાસ અને કેમ આ સીટ રાજ્યમાં હાઈ પ્રોફાઈલ બની છે.

By

Published : May 13, 2019, 2:46 PM IST

design

મધ્યપ્રદેશના ગુના મત વિસ્તારમાં આ વખતની ચૂંટણી અગાઉની ચૂંટણીની સરખામણીએ એક તરફી હોઈ તેવું જણાઈ રહ્યું છે. આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયાની ટક્કર અન્ય કોઈ નહીં પરંતુ પોતાના જ સાંસદ પ્રતિનિધિ રહેલા કે.પી. યાદવ સામે છે. જે ભાજપના ઉમેદવાર છે. સિંધિયા આ ચૂંટણીમાં જીતનો રેકૉર્ડ બનાવવા ઈચ્છે છે. તે જ કારણ છે કે તેઓ અગાઉની ચૂંટણી કરતા વધારે સક્રિય છે અને તેમની ધર્મપત્નિ પ્રિયદર્શિની રાજે સિંધિયા પણ હવે તો તેમને પૂરો સાથ આપી રહી છે.

ગુના-શિવપુરી સંસદીય મતવિસ્તારને ગ્વાલિયરના સિંધિયા રાજઘરાનાનો ગઢ માનવામાં આવે છે, કારણ કે અત્યાર સુધી થયેલી પેટાચૂંટણી સહિત 20 ચૂંટણીમાં સિંધિયા રાજઘરાના પ્રતિનિધિઓને 14 વખત વિજય પ્રાપ્ત થયો છે. જ્યોતિરાદિત્યના દાદી વિજયરાજે સિંધિયા છ વખત, પિતા માધવરાવ સિંધિયા ચાર વખત અને જ્યોતિરાદિત્ય સિંધિયા ખુદ ચાર વખત જીત મેળવી ચૂક્યા છે. જ્યારે એકવાર સિંધિયા રાજઘરાના નજીકના મહેન્દ્રસિંહ કાલૂખેડા જીત્યા હતા.

જ્યોતિરાદિત્ય સિંધિયાની આ પાંચમી ચૂંટણી છે. આ અગાઉ તે ચાર વખતની ચૂંટણીમાં સતત જીત નોંધાવી ચૂક્યા છે. સિંધિયાએ પોતાના પિતા માધવરાવ સિંધિયાના અવસાન પછી થયેલા 2002ની પેટાચૂંટણીમાં આશરે સવા ચાર લાખ મતના અંતરથી વિજય પ્રાપ્ત કર્યો હતો. જ્યારે 2004માં આ અંતર ઘટીને 86 હજારે અટકી ગયું હતુ. ત્યારબાદની ચૂંટણીમાં તેઓએ 2009માં અઢી લાખ મત અને 2014માં જીતનું માર્જિન 20 હજાર થઈ ગયું હતુ.

સિંધિયા ગત્ ચૂંટણીમાં આ સંસદીય મતવિસ્તારના શિવપુરી, ગુના અને અશોકનગર વિધાનસભા વિસ્તારમાં મળેલી હારને લઈ વિચારવિમર્શ કરી રહ્યાં છે. એ જ કારણ છે કે તેઓએ મતદારો અને કાર્યકર્તાઓને વારંવાર આ ત્રણ વિધાનસભા કેમ હાર્યા તે અંગે સવાલો કર્યા છે. ભાવાત્મક રીતે પણ સિંધિયાએ પોતાની વાત રજૂ કરી છે. ઉપરાંત સિંધિયાએ બજારો, લારીઓથી લઈ નાની દુકાનો સુધી પહોંચીને લોકો સાથે સંવાદ કર્યો છે.

સિંધિયાને કોંગ્રેસ પાર્ટીએ રાષ્ટ્રીય મહાસચિવ બનાવ્યા છે અને ઉત્તરપ્રદેશની 38 બેઠકોની જવાબદારી સોંપી છે. સિંધિયાએ એકતરફ ઉત્તરપ્રદેશમાં પક્ષના ઉમેદવાર માટે પ્રચાર કર્યો તો વધતા સમયમાં મોટાભાગનો સમય પોતાના સંસદીય મતવિસ્તારને આપ્યો છે.

અહીંયા 12 મેના રોજ ચૂંટણી યોજાઈ ગઈ છે. ચૂંટણી અગાઉ બંને પાર્ટીઓએ પ્રચાર અભિયાનમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી.

ABOUT THE AUTHOR

...view details