હવામાન વિભાગે ફરી એકવાર બિહારના હવામાનમાં ફેરફારની આગાહી કરી છે. પટણા સહિત મધ્ય બિહારના તમામ જિલ્લાઓમાં વરસાદને લઈને વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 48 કલાકમાં વરસાદ પડી શકે છે.
બિહારમાં વરસાદ ખતરનાક બની રહ્યો છે. તમને જણાવી દઈએ કે, બિહારમાં પૂરને કારણે 73 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પૂરના કારણે પટનામાં સૌથી વધુ અસર થઈ છે. પૂરના પાણીને ઘટાડવાના તમામ દાવા છતાં પણ શહેરમાંથી પાણીની સપાટી હજુ સુધી ઓછી થઈ નથી.
પટણાના રાજેન્દ્ર નગર અને પાટલીપુત્રમાં પૂરમાંથી ભરાએલા પાણીનો સંપૂર્ણ રીતે નિકાલ થયો નથી. ત્યાના લોકોનુ જન જીવન પર અસર પડી છે. પટનાના પાણી ભરાયેલા વિસ્તારોમાં પાણી કાઢવાનું કામ સતત ચાલી રહ્યું છે.