ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શું અમે ઝીણા તરફ નહીં અને ગાંધી તરફ આવીને ગુનો કર્યો છે? : પૂર્વ સાંસદ મોહમ્મદ અદીબ - former member of parliament

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં જામિયામાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન શુક્રવારે પણ ચાલુ રહ્યું હતું. આ દરમિયાન રાજ્યસભાના પૂર્વ સાંસદ મોહમ્મદ અદીબ જામિયા મિલિયા પહોંચ્યા અને વિદ્યાર્થીઓનો આભાર માનતા કહ્યું, 'જેપી (જયપ્રકાશ) આંદોલન સમયે આપણે જોયું કે, સરકાર કેવી રીતે બદલાય છે. જ્યારે પણ બંધારણ પર હુમલો થાય છે, ત્યારે દેશમાં આંદોલન શરૂં થાય છે.

former mp mohammad adib
પૂર્વ સાંસદ મોહમ્મદ અદીબ

By

Published : Jan 4, 2020, 10:18 AM IST

Updated : Jan 4, 2020, 10:58 AM IST

રાજ્યસભાના પૂર્વ સાંસદ મોહમ્મદ અદિબે કહ્યું કે, શું અમે ઝીણા તરફ ન ગયા અને ગાંધી તરફ આવીને ગુનો કર્યો છે? જે 75 વર્ષ પછી અમને અમારી નાગરિકતા સાબિત કરવાનું કહેવામાં આવે છે. એવું નહીં બની શકે. અમે કોઈને કંઈ સાબિતી નહીં આપીએ.

અદિબે કહ્યું કે, અહીંના યુવાનોએ જે રીતે કોઈ મૌલાના વિના અને કોઈ પાર્ટીના સહયોગ વિના સરકાર પાસે તેમના હકની માગણી કરી છે, તે ખરેખર વખાણવા યોગ્ય છે.

શું અમે ગાંધી તરફ આવીને ગુનો કર્યો છે?

રાજ્યસભાના પૂર્વ સાંસદ મોહમ્મદ અદિબે કહ્યું કે, શું અમે જીણા તરફ ન ગયા અને ગાંધી તરફ આવીને ગુનો કર્યો છે? જે 75 વર્ષ પછી અમને અમારી નાગરિકતા સાબિત કરવાનું કહેવામાં આવે છે. એવું નહીં બની શકે. અમે કોઈને કંઈ સાબિતી નહીં આપીએ. આદિબે વધુમાં કહ્યું કે, આ માટીમાં જ અમારા પૂર્વજો દફન થયા છે. માટે અમને અહીંના ગણવામાં કેમ નહીં આવે?

Last Updated : Jan 4, 2020, 10:58 AM IST

ABOUT THE AUTHOR

...view details