ગુજરાત

gujarat

નહીં થઇ શકે હજ યાત્રા, હજ કમિટી ઑફ ઇન્ડિયાએ નાણા પરત આપવાનો કર્યો નિર્ણય

By

Published : Jun 5, 2020, 11:16 PM IST

કોરોના વાઇરસના સંક્રમણનેે ધ્યાનમાં રાખીને, પવિત્ર હજ યાત્રા માટેની તૈયારીઓ હાલમાં બંધ છે. સાઉદી અરેબિયા તરફથી હજ કમિટી ઑફ ઇન્ડિયાને કોઈ પ્રતિસાદ ન મળતાં આ વર્ષે ભારતથી હજ યાત્રા માટેની તૈયારી અટકી ગઈ છે અને આ પવિત્ર યાત્રા રદ્દ થવાની સંભાવના વધી ગઈ છે. હજ કમિટી ઑફ ઇન્ડિયાએ પ્રવાસ રદ કરવા પર અરજદારોને સંપૂર્ણ નાણા પરત આપવાનો નિર્ણય લીધો છે.

haj yatra
haj yatra

નવી દિલ્હી: હજ યાત્રા અંગે સાઉદી અરેબિયા સરકાર તરફથી કોઈ ગાઇડલાઇન્સ ન મળતા હજ કમિટી ઑફ ઇન્ડિયાિએ રાજ્ય હજ સમિતિઓને હજ યાત્રા માટેની તૈયારીઓ અંગે રોક લગાવાા સૂચના આપી છે. આ સાથે, અરજદારો દ્વારા યાત્રા રદ્દ કરવા પર સંપૂર્ણ નાણા પરત આપવાનો નિર્ણય લીધો છે.

ભારતમાંથી સૌથી વધુ ઉત્તરપ્રદેશથી હજ યાત્રા પર લોકો જાય છે. ઉત્તર પ્રદેશના હજ યાત્રાળુઓ હજીઓમાં સૌથી વધુ આવે છે, ત્યારે આ વર્ષે સાઉદી અરેબિયામાં હજ યાત્રા માટે 28 હજાર લોકોએ અરજી કરી છે.

કોરોના વાઇરસના જોખમને ધ્યાનમાં રાખીને, હજ 2020ની યાત્રા ભયથી ઘેરાયેલી છે અને સાઉદી અરેબિયા સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતા મૂંઝવણની સ્થિતિ ઉભી થઇ છે.

દર વર્ષે વિશ્વ માંથી 20 લાખ લોકો હજની પવિત્ર યાત્રા પર જાય છે, ત્યારબાદ ઇન્ડોનેશિયા આવે છે, ત્યારબાદ ભારતના લોકોની સંખ્યા સૌથી વધુ છે. ઇન્ડોનેશિયા અને સિંગાપોરએ કોરોના વાઇરસના રોગચાળાને ધ્યાનમાં રાખીને આ વર્ષે તેમના યાત્રીઓને હજ યાત્રા પર નહીં મોકલવાનો નિર્ણય લીધો છે.

ABOUT THE AUTHOR

...view details