ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્ર સરકારે ખેડૂતો, વિધવાઓ, વિકલાંગોના તેમજ જનધનના ખાતમાં 7500 જમા કરવા જોઈએ: કોંગ્રેસ - કોરોના વાઈરસ ન્યૂઝ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતા હેઠળ કોંગ્રે સલાહકાર સમુહની પહેલી બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ કોંગી નેતા જયરામ રમેશે કહ્યં હતું કે સરકારે પણ જનધન, કિસાન સમ્માન અને પેન્સન યોજનાઓ સાથે જોડાયેલા ખાતમાં 7500 રૂપિયા જમા કરવા જોઈએ.

ETv Bharat
manmohan singh

By

Published : Apr 20, 2020, 6:22 PM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસે સોમવારે કહ્યું કે, તે સુક્ષ્મ, લધુ અને મધ્ય ઉદ્યોગ(એમએસએમઈ) , પ્રવાસી મજૂરે અને કઋષિ ઉપજની ખરીદીમાં ખેડૂતોને રાહત મળે તે માટે જલ્દી કેન્દ્ર સરકારને અપીલ કરશે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતા હેઠળ કોંગ્રે સલાહકાર સમુહની પહેલી બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ કોંગી નેતા જયરામ રમેશે કહ્યં હતું કે સરકારે પણ જનધન, કિસાન સમ્માન અને પેન્સન યોજનાઓ સાથે જોડાયેલા ખાતમાં 7500 રૂપિયા જમા કરવા જોઈએ. જયરામ રમેશ કોંગ્રેસ સલાહકાર કમિટિના એક સભ્ય છે.

તેમણે એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, ' સરકારે અત્યાર સુધી જે પણ પગલા લીધા છે તે અપુરતાં છે. અમે સરકારને અમારા સુચનો આપીશું.' તેમજ કહ્યું કે, મજૂરો અને ખેડૂતોને રાહત આપવા માટે આગામી એક- બે દિવસમાં તે કેન્દ્ર સરકારને ભલામણ મોકલશે. તમામ જનધનના ખાતા, કિસાન સમ્માન નિધી ખાતા, વયોવૃદ્ધ, વિધવાઓ અને વિકલાંગોના ખાતામાં 7500 રૂપિાય જમા કરવામાં આવે તેવું પણ રજયરામ રમેશે કહ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details