ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી સરકારનું કલક વલણ, 18 હુર્રિયત નેતાઓની સુરક્ષા હટાવી - Minister of Home Affairs

ન્યૂઝ ડેસ્ક: પુલવામામાં આતંકી હુમલા બાદ મોદી સરકારે મોટા એકશન લીધી છે. ચાર અલગાવવાદી નેતાઓ બાદ હવે સરકારે 18 હુર્રિયત નેતાઓની સુરક્ષા હટાવી લીધી છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના 155 રાજકિય વ્યક્તિઓની પણ સુરક્ષામાં બદલાવ કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય એડવાઈઝરીઆ અંગેની જાણકારી આપી છે.

સ્પોટ ફોટો

By

Published : Feb 21, 2019, 10:42 AM IST

જે નેતાઓની સુરક્ષા હટાવી લેવામાં આવી છે. તેમાં એસ.એસ.ગિલાની, આગા સૈયદ મોસવી અબ્બાસ અંસારી, યાસીન મલિક, સલીમ ગિલાની, શહીદ ઇલ ઈસ્લામ, જફર અકબર ભટ્ટ, નઈમ અહમદ ખાન, મુખ્તાર અહમદ વાઝા, ફારૂક અહમદ કિચલુ મસરૂર અબ્બાસ અંસારી, આગા સૈયદ અબુલ હુસૈન, અબ્દુલ ગની શાહ અને મોહમ્મદ મુદિક ભટ્ટ સામેલ છે.

જે 155 નેતાઓની સુરક્ષા હટાવવામાં આવી છે તેમાં શાહ ફેઝલ પણ સામેલ છે, જેમણે IASમાંથી રાજીનામું આપી નેશનલ કોન્ફેન્સમાં જોડાઈ ગયા છે. ગૃહ મંત્રાલય પાસેથી મળતી માહિતી અનુસાર આ હુર્રિયત નેતાઓ અને રાજકિય વ્યકિતઓની સુરક્ષામાં 1000થી વધુ પોલીસ કર્મચારી અને 100થી વધુ સરકારી વાહન આપવામાં આવ્યા હતા. જે પાછા લઈ લેવામાં આવ્યા છે.

અગાઉ સરકારે ચાર હુર્રિયત નેતાઓ મીરવાઈઝ ઉમર ફારૂક, અબ્દુલ ગની બટ, બિલાલ લોન, શબ્બીર શાહની સુરક્ષા હટાવી દીધી હતી. એક અહેવાલ પ્રમાણે આ નેતાની સુરક્ષા પાછળ લગભગ 15 કરોડનો ખર્ચ થતો હતો.

તમણે જણાવી દઈ કે 14 ફબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફિલા પર થયેલ હુમલામાં સુરક્ષા દળોના 40 જવાન શહીદ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details