ગુજરાત

gujarat

By

Published : Apr 28, 2020, 3:08 PM IST

ETV Bharat / bharat

ગ્લોબલ સેફ્ટી ડે 2020: કાર્ય સ્થળે સલામતી અને આરોગ્યપ્રદતા બચાવી શકે છે લોકોનાં જીવન

દર વર્ષે 28 એપ્રિલના રોજ કાર્યસ્થળમાં સલામતી અને આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે ગ્લોબલ સેફ્ટી ડે ઉજવવામાં આવે છે.

ગ્લોબલ સેફ્ટી ડે
ગ્લોબલ સેફ્ટી ડે

તમારા કામગીરીના સ્થળને કોવિડ-19 માટે સજ્જ કરો.

તમારૂં કાર્યસ્થળ સ્વચ્છ હોય, તે સુનિશ્ચિત કરો.

કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ પરની વ્યક્તિઓ તથા ગ્રાહકોને નિયમિતપણે તથા યોગ્ય રીતે હાથ ધોવા માટે પ્રોત્સાહિત કરો. કામગીરીના સ્થળ પર શ્વસન સંબંધિત સ્વચ્છતા અને આરોગ્યપ્રદતાને વેગ આપો.

કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટર્સને વ્યવસાયના હેતુથી પ્રવાસ પર જતાં પહેલાં નેશનલ ટ્રાવેલ એડવાઇસની સલાહ લેવા માટે સમજાવો.

મિટિંગ કે કાર્યક્રમ અગાઉ કોવિડ-19ના સંક્રમણનું જોખમ ઘટાડવા માટેના ચાવીરૂપ મુદ્દા

તમે જ્યાં મિટિંગ કે કાર્યક્રમ ગોઠવવાનું આયોજન કરી રહ્યા છો, તે સમુદાય અંગેની સત્તા તંત્રની સલાહ તપાસવી. તેમની સલાહ અનુસરવી.

તમારી મિટિંગ કે કાર્યક્રમમાં સંક્રમણ અટકાવવા માટે સજ્જતા માટેનો પ્લાન વિકસાવવો.

મિટિંગ દરમિયાન કોઇ વ્યક્તિ કોવિડ-19નાં લક્ષણો (કોરી ખાંસી, તાવ, બેચેની) સાથે બિમાર જણાય, તો તેવી સ્થિતિ માટે એક રિસ્પોન્સ પ્લાન તૈયાર કરવો.

મિટિંગ કે કાર્યક્રમ દરમિયાન

કોવિડ-19 વિશે મૌખિક તથા લેખિત, એમ બંને રીતે સંક્ષિપ્તમાં વિગત પૂરી પાડવી તથા સહભાગીઓ માટે આ કાર્યક્રમ સલામત બની રહે, તે માટે આયોજકો દ્વારા ભરવામાં આવેલાં પગલાં વિશે માહિતી પૂરી પાડવી.

જો જગ્યા હોય, તો બેઠકની વ્યવસ્થા કરવી, જેથી સહભાગીઓ વચ્ચે ઓછામાં ઓછું એક મીટર જેટલું અંતર જળવાઇ રહે.

કાર્યક્રમના સ્થળે હવા-ઉજાસ સુનિશ્ચિત કરવા માટે જ્યારે પણ શક્ય હોય ત્યારે બારી અને બારણાં ખુલ્લાં રાખવાં.

જો કોઇ વ્યક્તિ અસ્વસ્થતા અનુભવે, તો સજ્જતા અંગેના તમારા પ્લાનને અનુસરવો અથવા તમારી હોટલાઇન પર ફોન કરવો.

મિટિંગ બાદ

તમામ સહભાગીઓનાં નામ તથા સંપર્કની વિગતો ઓછામાં ઓછા એક મહિના સુધી જાળવી રાખવી. તેનાથી કાર્યક્રમના ટૂંક સમય બાદ જ એક કરતાં વધુ સહભાગીઓ બિમાર પડે, તો જાહેર આરોગ્ય અધિકારીઓ કોવિડ-19ના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને ટ્રેસ કરી શકે.

જો મિટિંગ કે કાર્યક્રમમાં હાજર રહેલી કોઇ વ્યક્તિને કોવિડ-19ના શંકાસ્પદ કેસ તરીકે આઇસોલેટેડ કરવામાં આવી હોય, તો આયોજકે સહભાગીઓને તે અંગે જાણ કરવી જોઇએ. તેમને 14 દિવસ સુધી તેમનામાં લક્ષણો જણાય છે કે કેમ, તેના પર નજર રાખવાની અને દિવસમાં બે વાર શરીરનું તાપમાન ચકાસવાની સલાહ આપવી જોઇએ.

જો તેમને હળવી ખાંસી કે તદ્દન હળવો તાવ હોય (અર્થાત્, તાપમાન 37.3 સે. કે તેથી વધુ), તો તેમણે ઘરે સેલ્ફ આઇસોલેશનમાં રહેવું જોઇએ. તેનો અર્થ એ કે, પરિવારના સભ્યો સહિત અન્ય લોકો સાથે નિકટ સંપર્ક (એક મીટર કરતાં ઓછું અંતર) ટાળવો જોઇએ. સાથે જ તેમણે તેમના હેલ્થ કેર પ્રોવાઇડર કે સ્થાનિક જાહેર આરોગ્ય વિભાગનો સંપર્ક સાધવો જોઇએ અને તેમને પોતાના તાજેતરના પ્રવાસ અને લક્ષણો વિશે જાણ કરવી જોઇએ.

સહકાર આપવા બદલ તમામ સહભાગીઓનો આભાર માનવો.

પ્રવાસ ખેડતાં પહેલાં

તમારા ઓર્ગેનિઝેશન તથા તેના કર્મચારીઓ

કોવિડ-19 ફેલાઇ રહ્યો હોય તેવા વિસ્તારોમાં પ્રવાસ ખેડનારી તમામ વ્યક્તિઓને યોગ્ય પ્રોફેશનલ્સ (જેમકે, આરોગ્ય સેવાનો સ્ટાફ, હેલ્થ કેર પ્રોવાઇડર અથવા સ્થાનિક પબ્લિક હેલ્થ પાર્ટનર) દ્વારા સંક્ષિપ્તમાં વિગતો પૂરી પાડવામાં આવે, તે સુનિશ્ચિત કરવું.

પ્રવાસ ખેડવાના હોય તેવા કર્મચારીઓને આલ્કોહોલ બેઝ્ડ હેન્ડ સેનિટાઇઝરની નાની (100 CL) બોટલ પૂરી પાડી શકાય.

પ્રવાસ ખેડતી વખતેઃ

કર્મચારીઓને નિયમિતપણે હાથ ધોવા માટે અને ખાંસી કે છીંક ખાનારી વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક મીટર જેટલું અંતર જાળવવા માટે પ્રોત્સાહિત કરવા.

પ્રવાસ દરમિયાન કર્મચારી બિમાર પડે, તો તેમણે શું કરવું અને કોનો સંપર્ક સાધવો તે અંગે તેમને જાણકારી છે, તે સુનિશ્ચિત કરવું.

તમારા તમામ કર્મચારીઓ જે વિસ્તારનો પ્રવાસ ખેડી રહ્યા હોય, ત્યાંના સ્થાનિક સત્તા તંત્રની સૂચનાઓનું પાલન કરે, તે સુનિશ્ચિત કરવું. ઉદાહરણ તરીકે, જો સ્થાનિક સત્તાધીશો તેમને કોઇ જગ્યાએ ન જવા માટે જણાવે, તો તેમણે તે સૂચના અનુસરવી જોઇએ.

તમારા કર્મચારીઓએ પ્રવાસ, ગતિ કે મોટા મેળાવડા પરનાં કોઇપણ સ્થાનિક નિયંત્રણોનું પાલન કરવું જોઇએ.

ABOUT THE AUTHOR

...view details