ગુજરાત

gujarat

By

Published : Jul 11, 2020, 8:30 PM IST

ETV Bharat / bharat

કર્ણાટક: પ્રેમલગ્નને કારણે એક જ પરિવારના ચાર લોકોની નિર્દયતાથી હત્યા

કર્ણાટકના સિંધાનુરુ શહેરમાં શનિવારે પ્રેમલગ્નથી ગુસ્સે ભરાયેલા છોકરીના પરિવાર દ્વારા છોકરાના પરિવારના ચાર લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

કર્ણાટક
કર્ણાટક

રાયચુર: કર્ણાટકના સિંધાનુરુ શહેરમાં શનિવારે પ્રેમલગ્નથીથી ગુસ્સે થયેલા દીકરીના પરિવાર દ્વારા યુવકના પરિવારના ચાર લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. જેમાં બે મહિલાઓ અને બે પુરુષોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

મૃતકોની ઓળખ સવિત્રામ, શ્રીદેવી, હનુમેશ અને નાગરાજ તરીકે થઈ છે. પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચીને આ કેસની તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ આ સમગ્ર ઘટના પાછળનું કારણ બંને પરિવારોના યુવક અને યુવતી દ્વારા કરવામાં આવેલા પ્રેમલગ્ન છે.

ABOUT THE AUTHOR

...view details