ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અરુણાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે એક જ પરિવારના ચાર સભ્યોના મોત - અરુણાચલ પ્રદેશમાં ભૂસ્ખલનના સમાચાર

અરુણાચલ પ્રદેશમાં મૂશળાધાર વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટના બની હતી. ભૂસ્ખલન આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા.

અરુણાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે એક જ પરિવારના ચાર સભ્યોના મોત
અરુણાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે એક જ પરિવારના ચાર સભ્યોના મોત

By

Published : Jul 10, 2020, 5:22 PM IST

ઈટાનગર: મૂશળાધાર વરસાદને કારણે અરૂણાચલ પ્રદેશના પાપુમપારે જિલ્લામાં ભૂસ્ખલનથી એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજ્યા હતા. પૂર્વોત્તર રાજ્યોમાં સતત મૂશળાધાર વરસાદ વરસી રહ્યો છે. શુક્રવારે વહેલી સવારે બનેલી ભૂસ્ખલનની ઘટનામાં એક પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ આગાઉ મિઝોરમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મિઝોરમમાં 24 જૂને 48 કલાકની અંદર ત્રીણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 5.5 માપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details