ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજ્યસભા સાંસદ અને સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમરસિંહનું નિધન - samajvadi party leader amar singh

રાજ્યસભા સાંસદ અને સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમરસિંહનું શનિવારે બપોરે 64 વર્ષની વયે અવસાન થયું છે. અમરસિંહ લાંબા સમયથી બીમાર હતા અને સિંગાપોરમાં લગભગ છ મહિનાથી તેમની સારવાર ચાલી રહી હતી. મુંબઇ મિરર દ્વારા તાજેતરમાં પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે તે આઈસીયુમાં હતા અને તેનો પરિવાર ત્યાં હતો. આ પહેલા 2013માં અમર સિંહની કિડની ફેલ થઈ હતી.

રાજ્યસભા સાંસદ અને સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમરસિંહનું નિધન
રાજ્યસભાના સભ્ય અને સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમરસિંહનું નિધન

By

Published : Aug 1, 2020, 6:11 PM IST

નવી દિલ્હીઃ રાજ્યસભાના સાંસદ અને સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમરસિંહનું શનિવારે બપોરે 64 વર્ષની વયે અવસાન થયું છે. અમરસિંહ લાંબા સમયથી બીમાર હતા અને સિંગાપોરમાં લગભગ 6 મહિનાથી તેમની સારવાર ચાલી રહી હતી. અમરસિંહ આઈસીયુમાં હતા અને તેમનો પરિવાર ત્યાં હતો. આ પહેલા 2013માં અમર સિંહની કિડની ફેલ થઈ હતી.

આજે તેમણે સ્વાતંત્ર્ય સેનાની બાલ ગંગાધર તિલકને પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને ઈદ અલ અઝહા નિમિત્તે તમામ ફોલોવર્સને અભિનંદન પણ આપ્યા હતા. અમરસિંહની પ્રોફાઇલ જોતા લાગે છે કે, તે બીમાર હોવા છતાં સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ હતા.

રક્ષાપ્રધાન રાજનાથસિંહે ટ્વીટ કરીને કહ્યું કે, 'વરિષ્ઠ નેતા અમર સિંહના મૃત્યુના સમાચાર સાંભળીને દુઃખ થયું.'

તેમણે હોસ્પિટલમાં બેડ પરથી 22 માર્ચે એક વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં, તેમણે કોરોના વાઈરસ સામેની લડતમાં તેમના તમામ ફોલોવર્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપવા અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details