પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ રાજ્યસભા માટે બિનહરિફ ચૂંટાયા - રાજ્યસભા ચૂંટણી
જયપુર: ચૂંટણી અધિકારી તથા વિધાનસભા સચિવ પ્રમિલ કુમાર માથુરે સોમવારના રોજ બપોરે 3 કલાક બાદ નામ પાછા ખેંચવાનો સમય નિકળી જતા એક માત્ર નામ રહેતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને બિનહરિફ ચૂંટાયા છે.
![પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ રાજ્યસભા માટે બિનહરિફ ચૂંટાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4181855-thumbnail-3x2-l.jpg)
twitter
આપને જણાવી દઈએ કે, મનમોહન સિંહે રાજ્યસભા માટે એક સીટને લઈ ચાર વખત નામાંકન ભર્યું હતું. તપાસમાં તેમના તમામ ડોક્યુમેન્ટ યોગ્ય જણાયા હતા. તેથી આજે નામાંકન પાછુ ખેંચવાનો સમય નિકળી જતા એક માત્ર ઉમેદવાર મનમોહન સિંહ બિનહરિફ ચૂંટાયા હતાં.
રાજસ્થાનના જયપુરમાં કોંગ્રેસ, બસપા તથા અપક્ષ ઉમેદવારોએ એકજૂટતા દાખવતા પરિણામ સ્વરુપ પૂર્વ વડાપ્રધાન જીતી ચૂક્યા છે.