ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિગ્ગીએ ડાટ વાળ્યો, અમિત શાહને કહ્યાં વડાપ્રધાન... - દિગ્વિજય સિંહ ભૂલ

દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ રામ મંદિર શિલાન્યાસના મુહુર્તને લઈ સતત કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યાં છે. એવામાં દિગ્વજયસિંહે પોતાના ટ્વીટમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને બદલે વડાપ્રધાન અમિત શાહ લખ્યું હતું. જેેને લઈ તેમણે માફી માગી છે.

digvijay singh
digvijay singh

By

Published : Aug 3, 2020, 9:48 AM IST

Updated : Aug 3, 2020, 10:17 AM IST

ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહ રામ મંદિરના શિલાન્યાસના મુહુર્તને લઈ સતત મોદી સરકારને ઘેરી રહ્યાં છે, પરંતુ આ વખતે તો તેમણે ખુબ જ મોટી ભૂલ કરી છે. દિગ્વિજય સિંહે પોતાના ટ્વીટમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને બદલે વડાપ્રધાન અમિત શાહ લખ્યું હતું. જેેને લઈ તેમણે માફી માગી છે.

દિગ્વિજય સિંહે ક્રયુ ટ્વિટ

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ રામ મંદિર શિલાન્યાસના મુહુર્તને લઈ સતત કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યાં છે. આ દરમિયાન તેમણે ટ્વીટમાં સનાતન હિન્દુ ધર્મની માન્યતાઓને નજરઅંદાજ કરવાના પરિણામો જણાવતા ટ્વીટ કર્યુ હતું. જેમાં તેમણે ભૂલથી કેન્દ્રીય ગૃહપ્રધાનને અમિત શાહને બદલે વડાપ્રધાન અમિત શાહ લખ્યું હતું. જો કે, બાદમાં ભૂલને અંગે તેમણે માફી માગી હતી.

નાતન હિન્દુ ધર્મની માન્યતાઓને નજરઅંદાજ કરવાના પરિણામો જણાવ્યાં

નોંધનીય છે કે, દિગ્વિજય સિંહે સનાતન હિન્દુ ધર્મની માન્યતાઓને નજરઅંદાજ કરવાના પરિણામો ગણાવતાં લખ્યું હતું કે,

1.ભારતના વડાપ્રધાન અમિત શાહ કોરોના પોઝિટિવ હોવાથી હોસ્પિટલમાં દાખલ (દિગ્વિજય સિંહે અહીં ભૂલથી કેન્દ્રીય ગૃહપ્રધાનને બદલે વડાપ્રધાન લખ્યુ હતું)

નાતન હિન્દુ ધર્મની માન્યતાઓને નજરઅંદાજ કરવાના પરિણામો જણાવ્યાં

2. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોરોના પોઝિટિવ

3. રામ મંદિરના સમસ્ત પુજારી કોરોના પોઝિટિવ

4 ઉત્તરપ્રદેશના પ્રધાન કમલા રાની વરુણનું કોરોનાથી નિધન

5 કર્ણાટકના મુખ્યપ્રધાન કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ

દિગ્વિજય સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા લખ્યું હતું કે, "મોદીજી તમે અશુભ મુહૂર્તમાં ભગવાન રામ મંદિરનો શિલાન્યાસ કરી કેટલા લોકોને હોસ્પિટલ મોકલવા માગો છો? સીએમ મોદી તમે જ પીએમ મોદીને સમજાવો. તમારા હોવા છતાં સનાતન ધર્મની સારી મર્યાદાઓને કેમ તોડવામાં આવી રહી છે? તમારી એવી શું મજબૂરી છે કે તમે આ બધુ થવા દો છે?"

દિગ્વિજય સિંહે કરી ભૂલ
Last Updated : Aug 3, 2020, 10:17 AM IST

ABOUT THE AUTHOR

...view details