જયપુર: જીતેન્દ્ર ગોઠવાલ ભાજપના સક્રિય કાર્યકર્તા હતા અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં સતત્ત ભાગ લેતા હતા. તેમણે હાલ કોરોના સમયમાં ભાજપના જાહેર સેવા કાર્ય અને અભિયાનમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ સમય દરમિયાન, તે ઘણા સ્થળોએ ગયા અને લોકોને કોરોના વિશે જાગૃત કર્યા હતા. આ જ અભિયાન દરમિયાન તેમણે લોકોને માસ્ક અને સેનિટાઇઝર વગેરેનું વિતરણ પણ કર્યું હતું, પરંતુ આખરે પોતે પણ કોરોના થઇ ગયું છે.
જીતેન્દ્ર ગોઠવાલ સાથે ફોન પર વાત કરતા તેમણે કહ્યું હતું કે, તે શારીરિક રૂપે સારા છે, પરંતુ ગળાના દુખાવાના કારણે તેમને આ ટેસ્ટ કરાવ્યો હતો, કારણ કે તેમને હળવો તાવ પણ હતો. તેમણે કહ્યું કે રવિવારે બપોરે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં કોરોન્ટાઇન કરવામાં આવી રહ્યા છે.