ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'ફ્લુવૉક્સામિન' દવા કૉવિડ-19ની સંભવિત સારવાર હોઈ શકે: અભ્યાસ - 'Fluvoxamine' drug shows potential to treatment COVID-19: Study

વૉશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિનના સંશોધકો તપાસ કરી રહ્યા છે કે ડિપ્રેશન વિરોધી દવા ફ્લુવૉક્ઝામિન જે હાલમાં ઑબ્સેસિવ કમ્પલ્ઝિવ ડિસઑર્ડર (ઓસીડી)ના દર્દીઓની સારવાર કરવામાં હાલમાં વપરાય છે તેનો ઉપયોગ કૉવિડ-૧૯ની સારવાર માટે પણ કરી શકાય છે.

as
'ફ્લુવૉક્સામિન' દવા કૉવિડ-19ની સંભવિત સારવાર હોઈ શકે: અભ્યાસ

By

Published : Apr 20, 2020, 6:22 PM IST

ન્યૂઝડેસ્ક: સંશોધકોએ એક અજમાયસી દવા વિશે શોધ્યું છે કે તે અસરકારક રીતે તેના યજમાનને ચેપ કરનાર સેલ્યુલર ડૉર સાર્સ કોરોના વાઇરસને અટકાવે છે. આ એક પ્રગતિ છે જે નવા કોરોના વાઇરસની સંભવિત સારવાર પણ પૂરી પાડી શકે છે તેમ તેઓ કહે છે.

સંશોધકો તપાસ કરી રહ્યા છે કે ડિપ્રેશન વિરોધી દવા ફ્લુવૉક્ઝામિન જે હાલમાં ઑબ્સેસિવ કમ્પલ્ઝિવ ડિસઑર્ડર (ઓસીડી)ના દર્દીઓની સારવારમાં વપરાય છે તેનો ઉપયોગ કૉવિડ૦૧૯ની સારવારમાં કરી શકાય છે.

અત્યાર સુધીમાં સંશોધને દર્શાવ્યું છે કે જે લોકોમાં દુર્બળ રોગપ્રતિકારક શક્તિ હોય છે તેમના માટે નવો કોરોના વાઇરસ ઘાતક સાબિત થઈ શકે છે. તે જેમની ઉંમર ૬૦ અને તેથી ઉપર છે તેવી ઉંમર સમૂહવાળા લોકો માટે પણ જીવલેણ રોગ સાબિત થયો છે.

વૉશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિન ખાતેના સંશોધકો મુજબ, ફ્લુવૉક્ઝામિન જે પસંદગીના સેરોટૉનિન રિઅપટેક ઇન્હિબિટર (એસએસઆરઆઈ) કહેવાય છે તેવા દવાના વર્ગમાં આવે છે, તે શરીરના બળતરા પ્રતિસાદ માટે અગત્યના પ્રૉટીન સાથે પણ પ્રતિક્રિયા કરે છે.

સાબિત થયેલી વાઇરસ વિરોધી ચિકિત્સા અથવા સાર્સ કોરોના વાઇરસને સ્વીકારનાર મહત્ત્વના ACE2ને આણ્વિક સ્તર પર ચોક્કસ રીતે લક્ષ્ય બનાવતી સારવારની ગેરહાજરી કૉવિડ-૧૯ના ગંભીર કિસ્સાઓની સારવારમાં મથી રહેલા આરોગ્ય કાળજી પ્રદાતાઓ માટે ખાલી શસ્ત્ર સાબિત થઈ શકે છે.

સાઇકિયાટ્રીના વૉલેસ અને લ્યુકાઇલ રિનાર્ડ પ્રાધ્યાપક, એરિક જે. લેન્ઝ અને અભ્યાસના મુખ્ય તપાસકર્તાએ કહ્યું કે "કૉવિડ-૧૯ની સારવાર માટે સાઇકિયાટ્રિક ઔષધિ વાપરવું ભૂલભરેલું લાગી શકે પરંતુ મેલેરિયાની ઔષધિ વાપરવા કરતાં વધુ ભૂલભરેલું નથી."

ચેપી રોગો, કૉવિડ-19ના વિભાગમાં મેડિસિનના સહાયક પ્રાધ્યાપક એમ.ડી. કાલિન મટ્ટર પાસે બે મહત્ત્વના તબક્કા હોઈ શકે છે. વાઇરલ ચેપ લોકોને તાવ અને ઉધરસ આપે છે અને તેમને બીમારી લાગી શકે છે. આ સિવાય બીજાં લક્ષણો પણ છે.

જીવનને જોખમમાં મૂકતી બળતરા પ્રતિક્રિયા- જેને સાઇકોટિન તોફાન કહે છે. તેમણે કહ્યું કે ફ્લુવૉક્ઝામિન બીમારીના બીજા તબક્કાને અટકાવવામાં મદદ કરી શકે છે.

અગાઉના કાર્યએ ACE2ને જે સાર્સ-કોરોના વાઇરસ-૨ માટે પ્રવેશ દ્વાર છે ઝડપથી ઓળખવામાં સંશોધકોને મદદ કરી જે રોગ વિશે ઘણું સમજાવે છે.

ABOUT THE AUTHOR

...view details