ભોપાલઃ સોમવારે મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારે બહુમતિ સાબિત કરવી પડશે. આ અંગે રાજ્યપાલ લાલજી ટંડને સરકારને પત્ર લખ્યો છે.
રાજ્યપાલે આદેશ આપતાં કહ્યું કે, મધ્ય પ્રદેશ વિધાનસભાનું સત્ર 16 માર્ચ, 2020ના રોજ સવારે 11 વાગ્યે શરૂ થશે અને મારા અભિભાષણ બાદ તાત્કાલિક વિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ કરવું પડશે. વિશ્વાસ મત વિભાજનના આધારે બટન દબાવીને જ થશે અન્ય કોઈ રીતે નહીં.