ગુજરાત

gujarat

બિહારના મોતીહારીમાં તળાવમાં ડૂબવાથી 5 બાળકોના મોત

By

Published : Jul 9, 2020, 3:02 PM IST

બિહારના મોતીહારીમાં 5 બાળકોના તળાવમાં ડૂબવાથી મોત થવાની કરુણ ઘટના સામે આવી છે. તેઓ એક અંતિમવિધિ પતાવી તળાવમાં સ્નાન કરવા ગયા હતા.

બિહારના મોતીહારીમાં તળાવમાં ડૂબવાથી 5 બાળકોના મોત
બિહારના મોતીહારીમાં તળાવમાં ડૂબવાથી 5 બાળકોના મોત

બિહાર: બિહારના ચંપારણ જિલ્લામાં આવેલા મોતિહારીમાં એક દુઃખદ ઘટનામાં અગ્નિસંસ્કાર માટે ગયેલા 5 બાળકો વિધિ પતાવીને તળાવમાં સ્નાન કરવા જતા ડૂબી ગયા હતા. NDRF દ્વારા તમામના મૃતદેહ બહાર કાઢી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઘટના ચકિયા નગર પંચાયતના ફૂલવરિયા ગામની છે. વોર્ડ નંબર-2ના રહીશ કૃષ્ણ ઠાકુરનું મૃત્યુ થતા ગ્રામજનો તેના અંતિમવિધિમાં ગયા હતા. વિધિ પૂરી થયા બાદ તળાવમાં સ્નાન કરી રહેલા બે બાળકો ડૂબવા લાગ્યા હતા જેમને બચાવવા ગયેલા અન્ય 3 બાળકો પણ ડૂબી ગયા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. NDRFની મદદથી તમામ મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details