ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નોઈડાના ભંગેલ માર્કેટમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો,ઘટનામાં કોઈ જાનહાની નહીં - નોઈડાના ભંગેલ માર્કેટમાં આગ

નોઈડાના ભંગેલ માર્કેટ પાસેની ઝૂંપડપટ્ટીમાં અચાનક ભીષણ આગ લાગી હતી.આ ઘટનાની જાણ થતા જ ફાયરના 6 એન્જિન ઘટના સ્થળે પહોંચ્યાં હતા અને ભારે જેહમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

ભંગેલ માર્કેટ
ભંગેલ માર્કેટ

By

Published : Oct 25, 2020, 9:18 AM IST

Updated : Oct 25, 2020, 9:51 AM IST

  • નોઈડાના ભંગેલ માર્કેટ પાસેની ઝૂંપડપટ્ટીમાં આગ
  • ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવ્યો
  • ઘટનામાં કોઇ જાનહાની નોંધાઇ નથી

નોઇડા (ઉત્તરપ્રદેશ): નોઈડાના ભંગેલ માર્કેટ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં શનિવારે સાંજે ભીષણ આગ લાગી હતી. તેની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલા છ ફાયર ફાઇટરો આગને કાબૂ કરવામાં સફળ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિલિન્ડરમાં વિસ્ફોટ થયા બાદ ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી.

આ વિસ્તાર નોઈડા ફેઝ ટુ પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. જે ભંગેલ માર્કેટની નજીક છે. સિલિન્ડરમાં થયેલા વિસ્ફોટ બાદ આગ ઝૂંપડપટ્ટીમાં ફેલાઇ હતી.

6 ફાયર ફાઇટર ઘટના સ્થળે હાજર

આગની જ્વાળાઓ જોઈને વિસ્તારમાં નાસભાગ મચી હતી. આગની જાણ થતા જ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચ્યાં હતા અને અનેક પ્રયાસો બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.આ ઘટનામાં કોઇ જાનહાની નોંધાઇ નથી

આ પણ વાંચો :

મુંબઈના મોલમાં લાગેલી આગ 36 કલાકે પણ બેકાબૂ

Last Updated : Oct 25, 2020, 9:51 AM IST

ABOUT THE AUTHOR

...view details