ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતીય વાયુસેનાનું ફાઈટર જેટ સુખોઈ SU-30 દુર્ઘટનાગ્રસ્ત, બંને પાયલટ સુરક્ષિત

આસામઃ ભારતીય વાયુસેનાનું લડાકુ વિમાન સુખોઈ SU-30ને દુર્ઘટના નડી છે. ગુરુવારે રાત્રે આ વિમાને દુર્ઘટના સર્જાઈ હતી. આ વિમાન રુટીન ટ્રેનિંગ મિશન પર હતું, ત્યારે આ ઘટના સર્જાય હતી. બનાવમાં બંને પાયલટનો આબાદ બચાવ થયો છે.

By

Published : Aug 8, 2019, 10:52 PM IST

Updated : Aug 8, 2019, 11:23 PM IST

ભારતીય વાયુસેનાનું ફાઈટર જેટ સુખોઈ su-30 દુર્ઘટનાગ્રસ્ત

ભારતની વાયુસેનાનું ફાઈટર જેટ સુખોઈ SU-30ને અકસ્માત નડયો છે. બે પાયલટ આ વિમાનને ઉડાવી રહ્યા હતાં. દુર્ઘટના સર્જાતા બંનેએ સમય સુચકતા વાપરી વિમાનની બહાર નીકળી ગયા હતાં. આ ઘટના આસામના તેજપુર વિસ્તારમાં સર્જાઈ હતી. હાલમાં આ વિમાન કેમ દુર્ઘટનાનું શિકાર બન્યુ તે જાણી શકાયુ નથી. પરંતુ આ ઘટનાની કોર્ટ ઓફ ઈન્કવાયરી કરાશે. તપાસ પછી આ દુર્ઘટનાનું સાચુ કારણ જાણી શકાશે.

ભારતીય વાયુસેનાનું ફાઈટર જેટ સુખોઈ su-30 દુર્ઘટનાગ્રસ્ત
ભારતીય વાયુસેનાનું ફાઈટર જેટ સુખોઈ su-30 દુર્ઘટનાગ્રસ્ત
Last Updated : Aug 8, 2019, 11:23 PM IST

ABOUT THE AUTHOR

...view details