ગુજરાત

gujarat

By

Published : Jun 18, 2019, 8:08 AM IST

Updated : Jun 18, 2019, 11:46 AM IST

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીર: અનંતનાગમાં અથડામણ, એક જવાન શહિદ, બે આતંકી ઠાર

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના તથા આંતકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં મળતી માહીતી મુજબ સેનાના નિશાના પર 2થી 3 આંતકીઓ છે. સેનાનો એક જવાન શહિદ થયો છે, સેનાએ બે આંતકીઓને ઠાર કર્યા છે.

ફાઇલ ફોટો


જણાવી દઇએ કે, સોમવારના રોજ અનંતનાગમાં સુરક્ષાદળ તથા આતંકી વચ્ચે અથડામણ ચાલી રહી હતી. જેમાં સેનાના જવાનોએ એક આતંકીને ઠાર કર્યો હતો. જેમાં ઓપરેશનમાં સામેલ એક મેજર પણ શહીદ થયા હતા. આ અથડામણમાં 3 જવાનો ઘાયલ થયા હતા.


મંગળવારે પણ આંતકીઓ અને સેના વચ્ચે અથડામણ શરૂ હતી. માહિતી મુજબ સેનાના નિશાના પર 2થી 3 આતંકી છે. સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે.

Last Updated : Jun 18, 2019, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details