ગુજરાત

gujarat

By

Published : Apr 7, 2020, 1:32 PM IST

ETV Bharat / bharat

PMGKAY હેઠળ PDS લાભાર્થીઓને મફત અનાજ વિતરણ માટે રાજ્યોને અપાયો પૂરતો સ્ટોક

ફૂડ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સંચાલિત ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) પ્રસંશનીય કામ કરી રહ્યું છે. અમે ખાતરી આપીએ છીએ કે, દેશવ્યાપી લોકડાઉન દરમિયાન દેશના દરેક ભાગમાં ખાદ્યપદાર્થોનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ થાય અને લોકોને પૂરતું જમવાનું મળી રહે.

Enough stock sent to states for free grain distribution to PDS beneficiaries under PMGKAY
PMGKAY હેઠળ PDS લાભાર્થીઓને મફત અનાજ વિતરણ માટે રાજ્યોને પૂરતો સ્ટોક ફાળવાયો

નવી દિલ્હી: સરકારે સોમવારે જણાવ્યું હતું કે, લોકડાઉન પિરિયડ દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ અન્ન યોજના (PMGKAY) હેઠળ 81 કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોને અનાજનું મફત વિતરણ માટે રાજ્યોમાં પૂરતો સ્ટોક મોકલવામાં આવ્યો છે.

PMGKAY અંતર્ગત, રેશનકાર્ડ ધારક દીઠ 5 કિલો અનાજ અને ઘરના સભ્યદીઠ એક કિલો દાળ આવતા ત્રણ મહિના માટે આપવામાં આવશે. આ રાષ્ટ્રીય ફૂડ સિક્યુરિટી એક્ટ (NFSA) હેઠળ વ્યક્તિદીઠ 5 કિલો સબસિડીવાળા અનાજના માસિક ક્વોટાથી ઉપર છે.

ફૂડ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સંચાલિત ફૂડ કોર્પોરેશન (FCI) સરાહનીય કામ કરી રહ્યું છે. તેમને ખાતરી આપી છે કે, દેશવ્યાપી લોકડાઉન દરમિયાન દેશના દરેક ભાગમાં ખાદ્યપદાર્થોનો પૂરતા સ્ટોકની ફાણવળી કરવામાં આવે છે.

FCIએ PMGKAYને લાગુ કરવા માટે દેશભરના રાજ્યોમાં પૂરતો જથ્થો મોકલ્યો છે. ઉત્તર પ્રદેશ, બિહાર, તેલંગણા, અસમ, હિમાચલ પ્રદેશ, મેઘાલય, સિક્કિમ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, કેરળ, મિઝોરમ, FCI ગોડાઉનમાંથી અનાજની ઉપાડ શરૂ કરી ચૂકી છે.

આગામી કેટલાક દિવસો દરમિયાન, અન્ય રાજ્યો પણ PMGKAY હેઠળ વિતરણ માટે અનાજનો ઉપાડ કરવાનું શરૂ કરશે. 24 માર્ચથી દિવસે લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હોવાથી, FCI દરરોજ સરેરાશ 1.41 લાખ ટન ખાદ્ય પદાર્થ આગળ વધ્યું છે, જ્યારે લોકડાઉન પૂર્વના સમયગાળા દરમિયાન 80,000 ટન હતું.

5 એપ્રિલ સુધીમાં, FCIએ 603 રેલવે રેકમાં 16.88 લાખ ટન અનાજ મોકલવામાં આવ્યું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, 6 એપ્રિલના રોજ લગભગ 1.65 લાખ ટન 59 રેકમાં લોડ થવાની સંભાવના છે.

NFSA અને PMGKAY હેઠળ અનાજની નિયમિત જરૂરિયાતને પહોંચી વળવા ઉપરાંત, FCI રાજ્ય સરકારોને ઈ-હરાજીને ઘ્યાનમાં લીધા વિના સીધા ઘઉં અને ચોખા પૂરા પાડે છે, જેથી અનાજની સતત સપ્લાય થાય તે માટે ઓપન માર્કેટના વેચાણ દરો છે.

ઘઉંનો લોટ સંબંધિત ઉત્પાદકોની જરૂરીયાતોના મૂલ્યાંકનના આધારે ઘઉંનો લોટ અને અન્ય ઘઉંના ઉત્પાદનની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આપવામાં આવે છે.

નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે કે, FCIએ આ યોજના અંતર્ગત 13 રાજ્યોમાં 1.38 લાખ ટન ઘઉં અને 8 રાજ્યોમાં 1.32 લાખ ટન ચોખાની ફાળવણી કરી છે. FCI દેશમાં અનાજની ખરીદી અને વિતરણ માટે સરકારની નોડલ એજન્સી છે.

ABOUT THE AUTHOR

...view details