ગુજરાત

gujarat

ETV Bharat / bharat

EMI છેતરપિંડી: અજાણ્યાને OTP નહીં આપવા બેન્કોની ગ્રાહકોને સલાહ

ગ્રાહકોની છેતરપિંડી કરતા નવી તરકીબનો ખુલાસો કરતા કહ્યું કે સાયબર ગુનેગારો લોકોની બેન્કિંગ માહિતી મેળવવા માટે ઇએમઆઈ રાહત યોજનાનો ઉપયોગ કરી શકે છે. એક્સિસ બેન્કે ગ્રાહકોને મોકલેલા ઇમેઇલમાં જણાવ્યું છે કે છેતરપિંડી કરનારાઓએ બેન્કની માહિતી મેળવવા માટે છેતરપિંડી કરવાની નવી પદ્ધતિ અપનાવી છે.

By

Published : Apr 9, 2020, 11:01 PM IST

bank
bank

નવી દિલ્હી: બેન્કોએ ગ્રાહકોને છેતરપિંડી વિશે સજાગ કર્યા છે, જે લોનની હપતા ચુકવણીમાં અપાયેલી રાહતનો લાભ લઈ શકે છે. બેન્કોએ ગ્રાહકોને જણાવ્યું છે કે છેતરપિંડી કરનારાઓને ઓટીપી અને પિન જેવી સંવેદનશીલ માહિતી જાહેર ન કરવી.

એક્સિસ બેન્ક, સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા અને અન્ય ઘણી બેન્કોએ છેલ્લા કેટલાક દિવસો દરમિયાન એસએમએસ અને ઇમેઇલ મોકલીને ગ્રાહકોને ચેતવણી આપી છે.

બેન્કે કહ્યું, "આ છેતરપિંડી કરનારાઓ ઇએમઆઈની ચુકવણી ટાળવાનો ઇનકાર કરીને ઓટીપી, સીવીવી, પાસવર્ડ્સ અને પિન વગેરે માંગી શકે છે. તેમનાથી સાવધ રહો. જો તમે આ માહિતી આપશો તો તમે છેતરાઇ શકો છો.

ABOUT THE AUTHOR

...view details