રાજસ્થાન: જયપુરમાં યોજાયેલા પૂર્વ વડાપ્રધાન નરસિંહારાવના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા મહેશ જોશીએ કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, વર્ષ 1991માં દેશની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે સોનુ ગીરવે મૂકવું પડ્યું હતું. આ પરિસ્થિતિમાં દેશની અર્થવ્યવસ્થાની ગાડી પાટે ચડાવવા પૂર્વ વડાપ્રધાન નરસિંહારાવને નાણાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.
નરસિંહારાવ તે સમયે જે આર્થિક નીતિઓ બનાવી હતી તેના પર જ આજે આપણો દેશ ચાલી રહ્યો છે પરંતુ અત્યારે તેની સાથે જે પ્રકારે ચેડાં કરવામાં આવી રહ્યા છે, તેના કારણે અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચી રહ્યું છે.