- QRSAMનું બીજીવાર સફળ પરીક્ષણ
- QRSAM સિસ્ટમમાં સ્વદેશમાં વિકસિત ઉપકરણોનો ઉપયોગ કરાયો છે
- DRDOના અધ્યક્ષ ડૉ. જી. સતીશ રેડ્ડીએ પાઠવી શુભકામના
ઓડિશા: ભારતે 4 દિવસની અંદર મંગળવારે બીજીવાર ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલે હવામાં રહેલા લક્ષ્યનું સચોટ નિશાન લઇ તેને નષ્ટ કરી દીધું હતું.
ઓડિશાના ચાંદીપુર સ્થિત ITRથી કરાયું પરીક્ષણ
સંરક્ષણ વિભાગના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી (ITR) બપોરે 3 કલાક અને 42 મિનિટે કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં માનવરહિત હવાઇ લક્ષ્ય પર નિશાન સાધવામાં આવ્યું હતું. ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલનું પ્રથમ પરીક્ષણ 13 નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું.
રડાર ડેટા લિંકના માધ્યમથી સતત સૂચનો મોકલતું રહે છે