ઉત્તરપ્રદેશ: લખનઉમાં CBI કોર્ટમાં બાબરી મસ્જિદ વિવાદ મામલે સતત સુનાવણીઓ હાથ ધરી આરોપીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે. ત્યારે મંગળવારે ડૉ. રામવિલાસ વેદાંતીનું નિવેદન લેવામાં આવ્યું હતું.
આ કેસ મામલે 4 જૂને મથુરામાં રહેતા વિજય બહાદુરનું નિવેદન લેવામાં આવ્યું હતું, 5 જૂને આ મામલે આરોપી ગાંધી યાદવનું તેમજ 6 જૂને કાનપુરમાં રહેતા પ્રકાશ શર્માનુ નિવેદન લેવાયું હતું.