ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્યપ્રદેશના ધારાસભ્યોને મળવા દાખલ કરાયેલી અરજીને કોર્ટે નકારી - કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, મેં કર્ણાટક કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેમાં મધ્યપ્રદેશના કોંગ્રેસ ધારાસભ્યોથી મળવાની અનુમતિની માગ કરી છે. જેના પગલે જ્યાં સુધી આ ધારાસભ્યોને મળવાની પરવાનગી નહીં આપે ત્યાં સુધી ઉપવાસ પર રહેવાનો નિર્ણય કર્યો છે. જેને કોર્ટે આખરે નકાર્યો છે.

બેંગલુરૂમાં દિગ્વિજય સિંહે કહ્યું,મધ્યપ્રદેશના ધારાસભ્યોથી મળવા અરજી દાખલ કરાઇ
બેંગલુરૂમાં દિગ્વિજય સિંહે કહ્યું,મધ્યપ્રદેશના ધારાસભ્યોથી મળવા અરજી દાખલ કરાઇ

By

Published : Mar 18, 2020, 4:46 PM IST

Updated : Mar 18, 2020, 5:44 PM IST

બેંગલુરૂ : કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, મેં કર્ણાટક કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. જેમાં મધ્યપ્રદેશના કોંગ્રેસ ધારાસભ્યોથી મળવાની અનુમતિની માગ કરી છે. જે હાલ બેંગલુરૂમાં છે અને જ્યાં સુધી આ ધારાસભ્યોને મળવા નહી દે ત્યાં સુધી ઉપવાસ પર રહેવાનો નિર્ણય કર્યો છે. જેને કોર્ટે નકાર્યો છે.

મધ્ય પ્રદેશમાં રાજકીય ખેંચતાણ અટકવાનું નામ જ નથી લેતી. રાજ્યપાલ તરફથી બે વાર આદેશ મળ્યા બાદ પણ ફ્લોર ટેસ્ટથી ઈનકાર કરનાર કોંગ્રેસ હવે બળવાખોર ધારાસભ્યોને મનાવવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસથી બળવાખોર થયેલા સિંધિયા ગ્રૂપના 22 ધારાસભ્યો 10 દિવસથી બેંગલુરુમાં છે. બુધવારે સવારે પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહ કોંગ્રેસ નેતાઓ સાથે બેંગલુરુ પહોંચ્યા હતા, પરંતુ કર્ણાટક પોલીસે તેમને બહાર જ રોકી લીધા હતા. ત્યારબાદ કોંગ્રેસ નેતાઓએ રસ્તા પર બેસીને ધરણાં કર્યા હતા. જેના પગલે પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.

આ નેતાઓને અમૃતાહલ્લી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. દિગ્વિજયે કહ્યું છે કે, હવે તેઓ ભૂખ હડતાલ કરશે. કમલનાથે પોલીસની આ કાર્યવાહીને હિટલરશાહી ગણાવી છે. કમલનાથે કહ્યું છે કે, જરૂર પડશે તો હું પણ તે ધારાસભ્યોને મળવા બેંગલુરુ જઈશ.

મધ્ય પ્રદેશમાં રાજકીય ખેંચતાણ વચ્ચે બુધવારે કોંગ્રેસના અંદાજે 70 ધારાસભ્યો રાજ્યપાલ લાલજી ટંડનને મળ્યા હતા. કોંગ્રેસે બેંગલુરુમાં આવેલા બળવાખોર ધારાસભ્યોને ભોપાલ લઇ આવવા માટે રાજ્યપાલને અરજી કરી છે. આ પહેલાં મંગળવારે સાંજે વિધાનસભા અધ્યક્ષ એનપી પ્રજાપતિએ રાજ્યપાલને પત્ર લખ્યો હતો. તેમાં પણ તેઓએ બેંગલુરુથી ધારાસભ્યોને પરત લઇ આવવા માટે અપીલ કરી હતી. રાજ્યપાલને સોંપવામાં આવેલી કોંગ્રેસની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, બેંગલુરુમાં ભાજપે કોંગ્રેસના 16 ધારાસભ્યોને બંધક બનાવીને રાખ્યા છે. તે માટે મુખ્યપ્રધાન કમલનાથે પણ અરજી કરી છે.

Last Updated : Mar 18, 2020, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details