પૂજા અને હવન કરી દિગ્ગી રાજા ભોપાલમાં અનેક સાધુ સંતોને એકત્રિત કરી રહ્યા છે. અહીં પોતાની પત્નિ સાથે કરેલી પૂજામાં કમ્પ્યુટર બાબા પણ સામેલ હતાં. તો વળી બાબાની સાથે સાથે અનેક સાધુ સંતો પણ હાજર રહ્યા હતાં.
પૂજા સ્થળ પર એક બોર્ડ પર માર્યું હતું જેમાં લખેલું હતું કે, દિગ્વિજય સિંહની જીત માટે હજારો સંતોનું હઠયોગ. હકીકતમાં જોઈએ તો વિતેલા 30 વર્ષથી અહીં ભાજપ સત્તા પર છે. તેથી કોંગ્રેસ પાર્ટી અહીં એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.
દિગ્વિજય સિંહ વારંવાર કહી રહ્યા છે કે, તેમણે હિન્દું આતંકવાદ જેવો શબ્દ પ્રયોગ કર્યો નથી. તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે. તેઓ પણ હિન્દુ છે. તો આ બાજુ સાધ્વી દિગ્ગીરાજાને હંમેશા હિન્દુઓને બદનામ કરવા વાળા તરીકે ઉલ્લેખ કરી રહી છે.