ગુજરાત

gujarat

ETV Bharat / bharat

JNU હિંસાઃ HRD સચિવે કહ્યુ, વીસીને હટાવવા એ ઉકેલ નથી

નવી દિલ્હી: JNUમાં થયેલી હિંસાના વિરોધમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના દેખાવો યથાવત રીતે ચાલી રહ્યાં છે. પ્રદર્શનકારીઓનો કાફલો રાષ્ટ્રપતિ ભવન તરફ જઈ રહ્યો હતો, પરંતુ પોલીસે તેમને વચ્ચેથી જ અટકાવી દીધા હતા. આ દરમિયાન પોલીસ સાથે પ્રદર્શનકારીનો સંઘર્ષ પણ થયો. પ્રદર્શનકારીઓને રોકવા પોલીસને સામાન્ય બળપ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી. પ્રદર્શનકર્તાઓની માગણી છે કે, સરકાર વહેલી તકે વીસીને દૂર કરે.

By

Published : Jan 9, 2020, 8:51 PM IST

JNU Protest
જેએનયુ વિરોધ પ્રદર્શન

  • શું કહ્યું માનવ સંસાધન વિકાસ સચિવે?

માનવ સંસાધન વિકાસ સચિવ અમિત ખરેએ કહ્યું કે, JNUના કુલપતિને હટાવવા એ કોઈ સમાધાન નથી. માનવ સંસાધન વિકાસ મંત્રાલયના અધિકારી શુક્રવારે JNUના કુલપતિ સાથે મુલાકાત કરશે ત્યાર બાદ JNU વિદ્યાર્થી સંગઠન સાથે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું ધ્યાન શૈક્ષણિક મુદ્દાઓ પર છે, નહીં કે, રાજકીય મુદ્દાઓ પર.

JNU હિંસાઃ HRD સચિવે કહ્યુ, વીસીને હટાવવા એ ઉકેલ નથી
  • ફી વધારો પાછો ખેંચવાનો વીસીએ ઈનકાર કર્યો

JNUમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે હસ્તક્ષેપ કર્યો હતો અને આ મુદ્દાના સમાધાન માટે ત્રણ સદસ્યોની સમિતિની રચના કરી હતી. જેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, સેવા અને યૂટિલિટી ફી UGC ચુકવશે, વિદ્યાર્થીઓ નહીં. વિદ્યાર્થીઓએ ફક્ત રૂમનું ભાડુ ચુકવવાનું રહેશે. જોકે, વિદ્યાર્થીઓ સંપૂર્ણ ફી વધારો પાછો ખેંચવાની માગ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details