ગુજરાત

gujarat

By

Published : May 26, 2020, 2:13 PM IST

ETV Bharat / bharat

દિલ્હીમાં 83 વિદેશી જમાતીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે મરકઝ મામલામાં વિદેશી જમાતીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. સાકેતમાં સ્થિત ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં તેમની સામે 20 ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટ ફાઇલ થતાંની સાથે આ વિદેશી જમાતીઓની મુશ્કેલીઓ વધી શકે છે.

દિલ્હી
દિલ્હી

દિલ્હીઃ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે મરકઝ મામલામાં વિદેશી જમાતીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. સાકેતમાં સ્થિત ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં તેમની સામે 20 ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટ ફાઇલ થતાંની સાથે આ વિદેશી જમાતીઓની મુશ્કેલીઓ વધી શકે છે.

ક્રાઇમ બ્રાંચનું કહેવું છે કે, આગામી દિવસોમાં અન્ય વિદેશી થાપણો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ સરકાર અને પોલીસ દ્વારા નિઝામુદ્દીન સ્થિત મરકઝથી 2300 થી વધુ લોકોને સ્થળાંતર કરાયા હતા. જેમાં 900થી વધુ વિદેશી લોકો સામેલ હતા. આ લોકો ટૂરિસ્ટ વિઝા પર ભારતની મુલાકાતે આવ્યા હતા. પરંતુ અહીંની ધાર્મિક પ્રવૃત્તિઓમાં સામેલ થયા હતા. આ માટે તેમણે ન તો ભારત સરકારની મંજૂરી લીધી હતી, ન કોઈને આ વાતની જાણ કરી હતી. આ દરમિયાન દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચને પૂછતાછ કરી અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

83 જમાતી વિરુદ્ધ 20 FIR

ક્રાઈમ બ્રાંચના સ્ત્રોતો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, દેશના 10 લોકો પર ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે. કુલ 83 લોકો સામે તેણે 20 ચાર્જશીટ ફાઇલ કરી છે. જેમાં સાઉદી અરેબિયાના 10, ચીનના 7, યુએસએનાં પાંચ, યુક્રેનનાં ત્રણ, સુડાનના છ, ફિલિપાઇન્સનાં છ, બ્રાઝિલનાં 8, અફઘાનિસ્તાનના 4, ઓસ્ટ્રેલિયામાં અને રશિયાનાં બેનો સમાવેશ થાય છે. , ફ્રાંસ, ઇજિપ્ત અને જોર્ડન 1-1 જમાતી સામેલ છે.

અન્ય જમાતીઓ પર ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે

ક્રાઈમબ્રાંચના દ્વારા મળતી માહિતી અનુાર, પહેલા તબક્કામાં 83 વિદેશી જમાતી સામે 20 ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. હવે પછીના તબક્કામાં અન્ય વિદેશી જમાી સામે પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. આ વિદેશી જમાતીઓએ ભારતમાં આવીને લોકડાઉન ભંગના નિયમો હેઠળ કાયજાનું ઉલ્લંઘન કર્યું હતું. જેના કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details