ગુજરાત

gujarat

By

Published : Jul 29, 2020, 4:42 PM IST

ETV Bharat / bharat

દિલ્હી હાઈકોર્ટ: પ્રાણીઓના બલિદાન વિરુદ્ધની અરજીની સુનાવણીનો ઇનકાર

દિલ્હી હાઈકોર્ટે બકરી ઈદ પર પ્રાણીઓના બલિદાન પર રોક લગાવતી અરજીની સુનાવણી પર મનાઈ ફરમાવી હતી. અરજદારે જણાવ્યું હતું કે, એનજીટી યમુના નદીના પ્રદૂષણના કેસમાં સુનાવણી કરી રહી છે.

દિલ્હી હાઈકોર્ટ: પ્રાણીઓના બલિદાન વિરુદ્ધની અરજીની સુનાવણીનો ઇનકાર
દિલ્હી હાઈકોર્ટ: પ્રાણીઓના બલિદાન વિરુદ્ધની અરજીની સુનાવણીનો ઇનકાર

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે બકરી ઈદ પર જનવરોની બલી પર રોક લાગવતી મગની પત્રિકા પર સુનવણી ન કરવા જણાવ્યું હતું. ચીફ જસ્ટીસ ડી.એન.પટેલની અધ્યક્ષમાં જે બેન્ચ હતી તેના અરજદારને કહ્યું હતું કે એનજીટી યમુના નદીના પ્રદૂષણના કેસમાં સુનાવણી કરી રહી છે.

કોર્ટે અરજદારને નિર્દેશ આપ્યો હતો કે અરજીમાં કાયદાનું ઉલ્લંઘન કરનારા વ્યક્તિનો ઉલ્લેખ કરવો જોઇએ આ અરજીના આધાર પગ સામાન્ય આદેશ જાહેર કરી શકાય તેમ નથી. કોર્ટે અરજદારને એક વાતનની છૂટ આપી હતી કે તે સંબંધિત અધિકારીઓ સાથે ફરિયાદ કરી શકે છે. સંબંધિત અધિકારીઓ ફરિયાદ પર કાનુંન મુજબ કામ કરશે.

બલિદાનની સુવિધા વાળા બેનર અને હોર્ડિંગ્સની અરજી જામિયા નગરમાં રહેતી લો કોલેજની વિદ્યાર્થીની સાના ખાને દાખલ કરી હતી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે બકરી ઈદ પહેલા દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મોટા મોટા હોર્ડિંગ અને બેનર લગાવવામાં આવી રહ્યા છે.

જે હોર્ડિંગ્સ પર લખવામાં આવ્યું હતું કે, લોકો જ બલિદાનની સુવિધા આપી રહ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, બલિદાન સ્થળ માટેનું લાઇસન્સ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે. મહાનગરપાલિકા વિસ્તારની ચકાસણી કર્યા પછી જ લાઇસન્સ આપે છે. જે પછી લાઇસન્સધારક પ્રાણીઓનું માસનું વેચાણ કરે છે.

અરજીમાંં કહેવામાં આવ્યું કે, લાયસન્સ કોઈપણ વ્યક્તિને આપવામાં આવતું નથી પરંતુ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પશુના બલિદાનની સુવિધા ઉપલબ્ધ કરવામારા હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવેલા છે. જેથી અરજીમાં માગ કરવામાં આવી છે કે, દિલ્હી પોલીસે ગેરકાયદેસર રીતે ચલાવાતા કતલખાના સામે પગલાં લેવામાં આવે.


અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ ગેરકાયદેસર કતલખાનાથી વિસ્તારોમાં પ્રદૂષણ ફેલાય છે મોટા જાનવરોની બલી ચડાવતી વખતે અવાજ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે અને કતલખાના માંથી નીકળતો કચરો યમુના નદીમાં ફેંકવામાં આવે છે. જેથી પ્રદુષણ વધી જાય છે અરજીમાં કહેવામાં આવ્યું હતું કે દર વર્ષે બકરી ઈદ સમયે મોટી માત્રામાં બલી ચઢાવવામાં આવે છે અને સામાન્ય લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે.

ABOUT THE AUTHOR

...view details