ગુજરાત

gujarat

By

Published : Dec 2, 2019, 2:59 AM IST

ETV Bharat / bharat

નિર્ભયા કાંડ : નિર્ભયા કેસના દોષિતની દયા અરજી દિલ્હી સરકારે ફગાવી

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં 16 ડિસેમ્બરના રોજ રાત્રે સામુહિક દુષ્કર્મ કાંડમાં 4 આરોપીઓન મુરેશ સિંહ,અક્ષય કુમાર સિંહ,વિનય શર્મા અને પવન કુમારને ફાંસી આપવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.તિહાડ જેલમાં તેમને જણાવામાં આવ્યું હતું કે, 7 દિવસમાં જો રાષ્ટ્રપતિને દયા અરજી આપવામાં નહીં આવે તો ફાંસીની સજા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

નિર્ભયા કાંડ : નિર્ભયા કેસના દોષિતની દયા અરજી દિલ્હી સરકારે ફગાવી
નિર્ભયા કાંડ : નિર્ભયા કેસના દોષિતની દયા અરજી દિલ્હી સરકારે ફગાવી

ચારમાંથી ફક્ત એક આરોપીએ દયા અરજી દાખલ કરી હતી. આ અરજી 4 નવેમ્બરના દાખલ કરવામાં આવી હતી. ભલામણમાં જણાવવામાં આવ્યું છે કે, દયા અરજીના રજૂ કરતાએ અંત્યંત માનવતાનો ગંભીર અપરાધ કર્યો છે. આવા અત્યાચારને રોકવા જરૂરી છે. આ કેસમાં ઉદાહરણ રૂપ દંડ કરવામાં આવે. દયા અરજીનો કોઇ આધાર નથી. આને રદ્દ કરવાની ભલામણ કરીએ છીએ. અગાઉ નિર્ભયાના મા-બાપ પણ રાહત ન આપવા કહી ચૂક્યા છે.

નિર્ભયા કાંડ : નિર્ભયા કેસના દોષિતની દયા અરજી દિલ્હી સરકારે ફગાવી

સામુહિક દુષ્કર્મ કાંડમાં આરોપી વિનય શર્માની દયા અરજી રાષ્ટ્રપતિને મોકલવામાં આવી તે આગાઉ રાજ્ય સરાકરના ગૃહપ્રધા સત્યેન્દ્ર જૈને વિશેષ નોટની સાથે રવિવારના રોજ આ અરજીને ફગાવી દીધી હતી.હવે આ અરજી કેન્દ્રીય ગૃહમંત્રાલય પાસે મોકલવામાં આવશે.જે બાદ રાષ્ટ્રપતિ નિર્ણય લેશે.

નિર્ભયા કાંડ : નિર્ભયા કેસના દોષિતની દયા અરજી દિલ્હી સરકારે ફગાવી

વિનય શર્માની દયા અરજીને ફગાવતા દિલ્હી સરકારના ગૃહપ્રધાન સત્યેન્દ્ર જેને વિશેષ નિવેદન પણ આપ્યું. તેમણે કહ્યું કે,આ દેશમાં સૌથી ખરાબ બાબતોમાંથી એક છે અને આરોપીઓની દયા અરજી સ્વિકારવામાં નહીં આવે..

ઉલ્લેખનીય છે કે નિર્ભયા કેસના 4 દોષિયોમાં ફક્ત એક વિનય શર્માએ જ દયા અરજી દાખલ કરી છે. તિહાડ જેલે અદાલતને જણાવ્યુ હતું કે આ મામલાના ચારેય આરોપીઓમાંથી 4 નંબરના એક આરોપીએ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરી છે, જે સરકાર પાસે મોકલી આપવામાં આવી છે

ABOUT THE AUTHOR

...view details