ગુજરાત

gujarat

By

Published : Jan 13, 2020, 7:48 AM IST

ETV Bharat / bharat

મહત્વનો નિર્ણયઃ ભારત વાયુસેના માટે 200 લડાકુ વિમાન ખરીદશે

કોલકાતા: ભારતીય વાયુસેના પાસે વિમાનોની સંખ્યા ઓછી હોવાને લઇને સરકારે ઓછામાં ઓછા 200 વિમાન ખરીદવાનું વિચારી રહી છે. આ સમગ્ર વાતની જાણકારી સંરક્ષણ સચિવે આપી છે. આ અંગે એક EOI એ પત્ર બહાર પાડ્યો છે.

ભારતીય વાયુસેના માટે 200 લડાકુ વિમાનોની ખરીદી કરાશે
ભારતીય વાયુસેના માટે 200 લડાકુ વિમાનોની ખરીદી કરાશે

વાયુસેના પાસે વિમાનોની સંખ્યા ઓછી થઇ હોવાને કારણે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેને લઇને રક્ષા પ્રધાન રાજનાથ સિંહે રવિવારના રોજ જણાવ્યું કે, HAAL 83, LCA 83, તેજસ માર્ક 7 Aના ફાઇટર વિમાનની ખરીદવાની પ્રક્રિયા છેલ્લા તબક્કામાં છે. જેનો પત્ર EOI એ બહાર પાડ્યો છે.

તેઓએ વધુમાં કહ્યું કે, આશરે 200 વિમાનોની ખરીદવાનો પત્ર બહાર પાડવામાં આવ્યો છે. LCA માટે ટેન્ડર પર આ વર્ષે કરાર કરવામાં આવશે. આ ઉપરાંત વિમાનોની ખરીદીને લઇને પુછતા જણાવ્યું કે, વિમાનોની ખરીદીની કાર્યવાહી વહેલી તકે પુરી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details