ગુજરાત

gujarat

દેશમાં 'તાનાશાહી', સૌથી વધુ દલિતો પર દમન કરવામાં આવી રહ્યું છે: મમતા બેનર્જી

By

Published : Oct 4, 2020, 9:36 AM IST

હાથરસના કથિત સામૂહિક દુષ્કર્મ કેસ વિરુદ્ધ માર્ચનું આયોજન કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, તેઓ અંત સુધી તેઓ દલિત સમુદાયની સાથે કારણે કે માનવતા તેમની જાતિ છે. તે જાતિ અને ધર્મના આધારે ભેદભાવ રાખવામાં નથી માનતા.

મમતા બેનર્જી
મમતા બેનર્જી

કલકત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ શનિવારે ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને દેશમાં 'તાનાશાહી' ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે તેમણે કહ્યું કે, ભાજપ પક્ષ એક મહામારી છે, જે દલિતોને સૌથી વધારે અત્યાચાર આપે છે. હાથરસના કથિત સામૂહિક દુષ્કર્મ કેસ વિરુદ્ધ એક માર્ચનું આયોજન કર્યું હતું. મમતા બેનર્જીએ કહ્યું કે, તેઓ અંત સુધી દલિત સમુદાયની સાથે રહેશે અને તે જાતિ અને ધર્મના આધારે ભેદભાવ રાખવામાં નથી માનતા.

તેમણે બિરલાથી માયો રોડ પર ગાંધી પ્રતિમા સુધીની બે કિલોમીટર રેલી કાઢી હતી. આ રેલીને સંબોધન કરતા મમતા બેનર્જીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ' કોવિડ -19 નહીં પરંતુ ભાજપ સૌથી મોટી રોગચાળો છે. તે દલિત અને પછાત સમુદાયો પર અત્યાચાર કરે છે. ' રેલીને સંબોધન કરતા તેમણે કહ્યું કે, આપણે આ અત્યાચાર સામે ઉભા રહેવું જોઈએ. જે પ્રકારના અત્યાચાર થઈ રહ્યા છે તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. '

મમતા બેનર્જીએ કહ્યું, 'દેશમાં તાનાશાહીની સ્થિતિ છે. બેનર્જીએ વધુમાં કહ્યું કે, લાગે છે કે ચેપ સમુદાય સ્તરે ફેલાવા લાગ્યો છે, કારણ કે જેઓ ઘરની બહાર ન નીકળ્યા હતા, તેઓ પણ હવે સંક્રમિત મળી રહ્યા છે.સરકારની આ નિષ્ફળતા છે.

ABOUT THE AUTHOR

...view details