શનિવારે અડધી રાત્રે વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના કાંઠે ત્રાટક્યું હતું અને 14 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
એક IAS અધિકારીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોના સર્વેક્ષણ પછી, વિવિધ વિભાગો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રાથમિક અહેવાલમાં વચગાળાનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે. વિભાગો પોતાનો અહેવાલ રજૂ કરશે. જે બાદ અંતિમ અનુમાન લગાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રારંભિક અંદાજ મુજબ, નુકસાન 15,000 કરોડ રૂપિયાથી વધીને 19,000 કરોડ સુધી પહોંચી શકે છે.