ગયા વર્ષે, કેન્દ્રએ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માં પરિવર્તનો લાવવા નવો ખરડો પ્રસ્તુત કર્યો હતો. ખરડા પર રાષ્ટ્રપતિએ 9 ઑગસ્ટ 2019ના રોજ હસ્તાક્ષર કર્યા હતા. ગ્રાહકોના અધિકારોની રક્ષા, અનૈતિક વેપાર પર નિયંત્રણ, ફરિયાદને ઉકેલવાની ઝડપી પ્રણાલી, વીજાણુ વાણિજ્ય (ઇ-કૉમર્સ) વ્યવહારોનો સમાવેશ કાયદામાં કરાયો છે. આ કાયદો ગ્રાહકોનું સશક્તિકરણ કરવામાં એક સીમાચિહ્ન છે. અમેરિકાના અમેરિકા ફૅડરેશન ટ્રૅડ કમિશન અને ઑસ્ટ્રેલિયામાં ઑસ્ટ્રેલિયન કન્ઝ્યુમર એન્ડ કમિશન ગ્રાહકોના અધિકારોની રક્ષામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
- શું નવો કાયદો આપણી સમસ્યાઓ ઉકેલી શકશે?
ગ્રાહકોના મંચોના બદલે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પંચોની રચના કરાઈ રહી છે. ગ્રાહકોના અધિકારોની રક્ષા કરવા અને આ અધિનિયમ હેઠળ ગેરકાયદે વેપારને અટકાવવા માટે ગ્રાહક સુરક્ષા પ્રાધિકારની રચના કરાઈ હતી. તે મુખ્ય કમિશનર અને ઉપ કમિશનરના તત્વાવધાન નીચે ચાલુ રહેશે. તપાસ વિભાગ મહા નિયામકના નિરીક્ષણ હેઠળ રહેશે. જો ફરિયાદ કરાઈ હોય કે અનૈતિક વેપાર થઈ રહ્યો છે અને અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો કલેક્ટર પાસેથી અહેવાલ માગી શકાશે. નવા કાયદાએ ગ્રાહક પંચની મર્યાદા પણ નિર્ધારિત કરી છે. જિલ્લા સ્તરે પંચ રૂ. 1 કરોડની મર્યાદા સુધીના કેસો લઈ શકશે. રાષ્ટ્રીય પંચ રૂ. 1 કરોડથી રૂ. 10 કરોડ સુધીની રકમના કેસ લઈ શકશે. જિલ્લા સ્તરના પંચ સમક્ષ કરવામાં આવતી કેસોની સુનાવણીમાં ચુકાદા સામે રાજ્ય પંચમાં અપીલ કરી શકાશે અને તે પછી રાષ્ટ્રીય પંચ સમક્ષ અપીલ કરી શકાશે. આ જ રીતે રાજ્ય પંચને તેના ચુકાદાની સમીક્ષા કરવાની અને તેને પાછા ખેંચવાની સત્તા છે. આના કારણે જો એવી સ્થિતિ હોય કે ચુકાદામાં સુધારો કરવાની માગ હોય તો વહેલામાં વહેલી તકે સુધારો થવાની સંભાવના રહે છે.
જે લોકો નિયમો અને નિયમનોનું ઉલ્લંઘન કરશે તેમને ભારે દંડ ફટાકારાશે. જો ગ્રાહકોને અવાસ્તવિક નિવેદનો અથવા જાહેરખબરો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવતા હોય તો સંબંધિત વેપારીઓને રૂ. 10 લાખ સુધીનો દંડ થશે. આવા બનાવટી નિવેદનો અને જાહેરખબરોમાં સંડોવાયેલી જાણીતી હસ્તીઓને અન્ય જાહેરખબરોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકાશે. ઉત્પાદનમાં ભેળસેળના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો છ મહિનાની જેલ અને રૂ. 1 લાખ સુધીનો દંડ થઈ શકે છે. જો કહ્યા પ્રમાણે આદેશનો અમલ ન થઈ શકે તો છ મહિના સુધીની જેલ અને રૂ. 20 લાખ સુધીનો દંડ શક્ય છે. મેન્યુફૅક્ચરર અને સેવા પ્રદાતાને જેલમાં નખાશે અને ગ્રાહકનાં હિતો વિરુદ્ધ કામ કરવા માટે દંડ કરાશે.