ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આસામમાં અત્યાર સુધીમાં 5ના મોત, દિબ્રૂગઢ અને ગુવાહાટીમાં કર્ફ્યૂમાં આંશિક છૂટછાટ - દિબ્રૂગઢ અને ગુવાહાટીમાં કર્ફ્યૂમાં આંશિક છૂટછાટ

ગુવાહાટી: આસામની વિવિધ જગ્યાઓ પર નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ થયેલી હિંસામાં અત્યાર સુધી 5 લોકોના મૃત્યુ થયા છે. આસામના એડિશનલ ડિરેક્ટર જનરલ પોલીસ જી.પી.સિંઘે જણાવ્યું કે, ગુવાહાટીમાં સોમવારે સવારે છ વાગ્યાથી કર્ફ્યૂ હટાવી દેવામાં આવશે પરંતુ રાત્રે કર્ફ્યુ ચાલુ રહેશે. રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. આસામના ગુવાહાટીમાં સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી લોકોને કર્ફ્યૂમાં આંશિક રાહત મળી છે. આ સાથે જ આસામના મુખ્યપ્રધાને પણ હાલની પરિસ્થિતીને લઈ ટ્વિટ કર્યું છે. નાગરિકતા કાયદા વિરુદ્ધના પ્રદર્શનમાં થયેલી હિંસાને લઈ અત્યાર સુધી 5 લોકોના મૃત્યુ થવાના સમાચાર છે.

curfew relaxation in guwahati assam
curfew relaxation in guwahati assam

By

Published : Dec 16, 2019, 8:06 AM IST

ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદાના વિરોધને લઈ દિબ્રૂગઢ અને ગુવાહાટીના જિલ્લાના કેટલાક હિસ્સાઓમાં કર્ફ્યૂને આંશિક છૂટછાટ અપાઈ હતી.

આસામમાં વિરોધ પ્રદર્શન

ગુવાહાટી મેડિકલ કોલેજ હોસ્પિટલ અનુસાર, અત્યાર સુધી 3 લોકોના મોત થયા છે જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, 11 ડિસેમ્બરના રોજ સાંસદમાં નાગરિકતા સંશોધન બિલને પસાર થયા બાદ આસામના કેટલાયે વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. 13 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ બિલ એક્ટ બની ગયો છે.

આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલનું ટ્વિટ

મુખ્યપ્રધાને કર્યું ટ્વિટ વિરોધને લઈ આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલ પ્રતિક્રિયા આપવા ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે, અમે તમામ વાસ્તવિક ભારતીય નાગરિકો અને આસામના લોકોના હકનું રક્ષણ કરવા કટિબદ્ધ છીએ.

જ્યારબાદ દિસપુર, અઝાન બજાર, ચાંદમારી, સિલપુખુરી અને ઝૂ રોડ સહિત અનેક જગ્યાઓ પર લાંબી કતાર જોવા મળી હતી. અધિકારીઓએ કહ્યું કે, પોલીસ લોકોને આ રાહત અંગે માહિતી આપવા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details